10 છોડ કે જે રાત્રે આપે છે ઓક્સિજન.

સ્નેક પ્લાન્ટ: સાસુની જીભ તરીકે ઓળખાતો આ છોડ હવામાંથી ફોર્માલ્ડિહાઇડને સાફ કરે છે, તેમજ તેને પાણી આપવાની જરૂર નથી.

એરેકા પામ પ્લાન્ટ: ગોલ્ડન પામ, બટરફ્લાય પામ અને યલો પામ નામોથી ઓળખાતો આ પ્લાન્ટ સૂર્યાસ્ત પછી પણ ઓક્સિજન છોડે છે.

મની પ્લાન્ટ: મની પ્લાન્ટ માત્ર સમૃદ્ધિ જ નહિ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે, તે અનિંદ્રાની સમસ્યા દૂર કરે છે.

ઓર્કિડ પ્લાન્ટ: સૌથી મોટા ફૂલો આપતો આ છોડ હવામાંથી ઝાયલીન નામનું ઝેરી તત્ત્વ દૂર કરે છે.

પીસ લીલી: અનિંદ્રાથી પીડિત લોકોને મદદ કરતો આ છોડ હવાને શુદ્ધ કરીને ઓક્સિજન આપે છે.

ક્રિસમસ કેક્ટસ: રાત્રે ઓક્સિજન છોડતો આ છોડ તેના વાઇબ્રન્ટ રંગથી હમીંગબર્ડ્સને આકર્ષિત કરે છે.

સ્પાઈડર પ્લાન્ટ: આ છોડ હવામાંથી ઝેરી તત્ત્વ નાબૂદ કરીને રાત્રે ઓક્સિજન આપે છે.

એલોવેરા પ્લાન્ટ: એલ્ડીહાઇડ્સ અને બેન્ઝીન જેવા ઝેરી તત્ત્વો દૂર કરે છે. તેમજ બહુવિધ સારવાર માટે પણ ઉપયોગી છે.

તુલસીનો છોડ: દક્ષિણ-પૂર્વ એશિયામાં ઉગાડવામાં આવતો આ છોડ તણાવમાં રાહત આપે છે અને શરદી, ઉધરસ, હાઈ બીપી અને કોલેસ્ટ્રોલની સમસ્યાઓમાં મદદરૂપ સાબિત થાય છે.

જર્બેરા પ્લાન્ટ: ઊંઘ અને શ્વાસની વિકૃતિઓથી પીડાતા લોકોને રાહત આપતો આ છોડ અનુકૂળ પરિસ્થિતિઓમાં 2 વર્ષ સુધી જીવી શકે છે.

More Web Stories