અમદાવાદની શાનમાં વધારો કરતા ‘અટલ બ્રિજ’નો જુઓ ડ્રોનથી નજારો
અમદાવાદ, તા.26 ઓગસ્ટ 2022,શુક્રવાર
અમદાવાદમાં સાબરમતી નદી પર આંબે઼કર બ્રિજ, નેહરુ બ્રિજ, ગાંધી બ્રિજ, એલિસબ્રિજ આવેલા છે, હવે અમદાવાદની શાનમાં વધારો કરવા માટે વધુ એક બ્રિજનો ઉમેરો થઇ રહ્યો છે.
અમદાવાદના સાબરમતી નદી કિનારા પર આવેલા આ આઇકોનિક પેડેસ્ટ્રીયન બ્રિજ એટલે અટલ ફૂટ ઓવર બ્રિજ. અટલ ફૂટ ઓવર બ્રિજ સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડે છે. સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવેલા આ ગ્લાસ ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ 27 ઓગસ્ટના રોજ PM મોદીના હસ્તે કરવામાં આવશે.
બ્રીજન ખાસિયતો
- આ બ્રીજની કુલ લંબાઈ ૩૦૦ મીટર
- 2600 મેટ્રીક સ્ટીલનું વજન
- પહોળાઈ બ્રીજના છેડાના ભાગે દસ મીટર અને વચ્ચેના ભાગમાં ૧૪ મીટર
- બ્રીજ ઉપર વુડન ફલોરીંગ અને ગ્રેનાઈટ ફલોરીંગ
- સ્ટેઈનલેશ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ
- બ્રીજના પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન
- ઈવેન્ટ ગ્રાઉન્ડના
- એલઇડી લાઇટિંગ
- 74 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો
- આ પુલ ફક્ત ચાલવા માટે
- વેસ્ટન ભાગમાં ફ્લાવર ગાર્ડન