
બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટ કેપ્ટન અને મગુરાના પૂર્વ સાંસદ શાકિબ અલ હસનના પૈતૃક ઘર પર 5 ઓગસ્ટ 2026ના રોજ રાત્રે 8:45 વાગ્યે અજ્ઞાત તત્વોએ પેટ્રોલ બોમ્બથી હુમલો કરી તોડફોડ મચાવી હતી. નવી દિલ્હીમાં આયોજિત પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં શાકિબે ભાગ લીધા બાદ આ ઘટના બની હતી. શેખ હસીનાએ દેશત્યાગના 2 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી છે.