
ગુજરાતમાં આર્થિક વિકાસના દાવાઓ વચ્ચે ગરીબીનું ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જુલાઈ સુધીમાં રાજ્યના 3.38 કરોડ લોકો મફત અનાજ મેળવવા મજબૂર બન્યા છે. સરકારે 1.74 લાખ હજાર ટન અનાજ વહેંચણીને સિદ્ધિ ગણાવી છે, જે ખરેખર રાજ્યમાં વધી રહેલી ગરીબી, બેરોજગારી અને આર્થિક અસમાનતાનું જીવંત પ્રમાણ છે.