
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરે ‘રામાયણ’ વિશે વાત કરતા કહ્યું કે, આજકાલ દર્શકોને વાસ્તવિક લાગે તેવા CGIથી પ્રભાવિત કરવું મુશ્કેલ બની ગયું છે. તેમણે જણાવ્યું હતું કે, ‘ઘણા લોકો ઓનલાઈન CGI ક્રિટિક બની જાય છે. તેઓ ટ્રેલર જુએ છે અને કહે છે કે આ સારું નથી, તેને યોગ્ય રીતે બનાવવામાં આવ્યું નથી. ખાસ કરીને AIના આવ્યા પછી લોકો વધુ જાગૃત થઈ રહ્યા છે. લોકોને હવે એ જાણવામાં વધુ રસ છે કે, CGI કેટલું સારું છે અને ફિલ્મ રિલિઝ થયા પછી તે કેવી રીતે દેખાશે.’