
સુપ્રીમ કોર્ટે થર્ડ-પાર્ટી વીમા વિનાના વાહનો સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા જણાવ્યું છે, જે અંતર્ગત વીમા વિનાના વાહનોને પેટ્રોલ પંપ પર ઇંધણ નહીં મળે. IRDAI અને મંત્રાલયને વીમાની સ્થિતિ ચકાસ્યા બાદ જ ઇંધણ આપવા સિસ્ટમ બનાવવાનો આદેશ અપાયો છે. સંસદીય સમિતિના અહેવાલ મુજબ દેશમાં 56% વાહનો વીમા વગરના હોવાથી આ નિર્ણય લેવાયો છે.