
આંધ્રપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિરમાં મંગળવારે માત્ર 24 કલાકમાં 96.98 કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક દાન નોંધાયું હતું. 15 જુલાઈથી લાગુ થનારી નવી ડોનર પોલિસીમાં આજીવન સુવિધાઓ બદલાવાની હોવાથી, 2,460 દાતાઓએ જૂના નિયમો હેઠળ લાભો સુરક્ષિત કરવા મોટું યોગદાન આપ્યું હતું. અંદાજે 3.38 લાખ કરોડની સંપત્તિ ધરાવતા આ વિશ્વના સૌથી સમૃદ્ધ મંદિરમાં સરેરાશ દૈનિક આવક 4.75 કરોડ રૂપિયા છે.