'આરોપી સામે પ્રથમ દૃષ્ટિએ મજબૂત કેસ', રાજકોટ અગ્નિકાંડના આરોપીની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
'આરોપી સામે પ્રથમ દૃષ્ટિએ મજબૂત કેસ', રાજકોટ અગ્નિકાંડના આરોપીની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી 1 - image


Gujarat High Court: ગુજરાતના રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડની મોટી દુર્ઘટના બની હતી. જેના સમગ્ર દેશમાં પડઘા પડ્યા હતા. 25મી મે 2024ના રોજ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી હતી, જેમાં 27 લોકોના મોત થયા હતા. ત્યારે સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે રાજકોટ અગ્નિકાંડના આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.

રાજકોટ ગેમ ઝોન કેસના આરોપીની જામીન અરજી નામંજૂર

રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ત્રણ સસ્પેન્ડેડ સનદી અધિકારીઓ સહિત ચાર આરોપીઓની રેગ્યુલર જામીન અરજી સોમવારે (30મી સપ્ટેમ્બર) સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. એડિશનલ સેશન્સ જજ ઈ. એસ. સિંઘની કોર્ટે સસ્પેન્ડેડ ચીફ ફાયર ઑફિસર ઈલેશ ખેર, સસ્પેન્ડેડ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઑફિસર ગૌતમ જોષી અને રાજેશ મકવાણા તેમજ અશોક જાડેજાની જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં 13 આરોપીઓમાંથી ચાર આરોપીએ નિયમિત જામીન માટે અરજી કરી હતી. 

આ પણ વાંચો: યુટ્યુબમાં વીડિયો જોઈ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, બેની ધરપકડ, કારણ જાણી પોલીસ પણ ચોંકી

સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીએ વિવિધ આધારો પર અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, 'આરોપી સામે પ્રથમ દૃષ્ટિએ મજબૂત કેસ છે. આરોપીઓ સામે મજબૂત વૈજ્ઞાનિક અને દસ્તાવેજી પુરાવા છે જેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના તારણો દ્વારા સમર્થન મળે છે. ઘટનાસ્થળે હાજર કેટલાક સાક્ષીઓ આરોપીઓથી પ્રભાવિત હોઈ શકે છે કારણ કે તેઓ નાના વિક્રેતા છે.'

'આરોપી સામે પ્રથમ દૃષ્ટિએ મજબૂત કેસ', રાજકોટ અગ્નિકાંડના આરોપીની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી 2 - image


Google NewsGoogle News