મ્યુનિ.દ્વારા ઈ-ઓકશન કરાતા બોડકદેવનો કોમર્શિયલ હેતુનો પ્લોટ વાઘબકરીવાળાએ ૧૪૮ કરોડમાં લીધો

આજે વધુ ત્રણ પ્લોટનુ ઈ-ઓકશન હાથ ધરવા તંત્ર કાર્યવાહી હાથ ધરશે

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News

     મ્યુનિ.દ્વારા ઈ-ઓકશન કરાતા બોડકદેવનો કોમર્શિયલ હેતુનો પ્લોટ વાઘબકરીવાળાએ ૧૪૮ કરોડમાં લીધો 1 - image

  અમદાવાદ,સોમવાર,29 જાન્યુ,2024

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ ઈ-ઓકશનમાં બોડકદેવમાં કોમર્શિયલ હેતુ માટેનો ૪૬૨૬ ચોરસ મીટરનો પ્લોટ વાઘબકરીવાળાએ રુપિયા ૧૪૮ કરોડમાં ખરીદી લીધો છે. પ્રતિ ચોરસમીટર ૨.૮૯ લાખ તળીયાની કિંમત રાખવામાં આવી હતી.જેની સામે ઈ-ઓકશનમાં પ્રતિ ચોરસમીટર રુપિયા ૩.૨૦ લાખ તળીયાની કિંમત આવી હતી.  આજે વધુ ત્રણ પ્લોટનું મ્યુનિ.તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.

મ્યુનિ.તંત્ર તરફથી શહેરના રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટેના કુલ આઠ પ્લોટ ઈ-ઓકશનથી વેચવા નિર્ણય કરાયો હતો.ટી.પી.કમિટિના ચેરમેન પ્રિતિશ મહેતાએ કહયુ,સોમવારે કુલ આઠ પૈકી ત્રણ પ્લોટનુ ઈ-ઓકશન કરાયુ હતુ.જે પૈકી બોડકદેવ વોર્ડમાં આવેલ ટી.પી.સ્કીમ નંબર-૫૦ના ફાયનલ પ્લોટ નંબર-૩૮૭ કે જે કોમર્શિયલ હેતુ માટેનો હતો આ પ્લોટ માટે  ગુજરાત ટી પ્રોસેસર એન્ડ મેકર્સ લિમિટેડ દ્વારા મહત્તમ બોલી લગાવાઈ હતી.આ ઈ-ઓકશનથી મ્યુનિ.તંત્રને અંદાજે રુપિયા ૧૪૮ કરોડની આવક થવાની સંભાવના છે.

આજે સરખેજ-મકરબા, થલતેજના પ્લોટનું ઓકશન કરાશે

મ્યુનિ.તંત્ર દ્વારા આજે સરખેજ-મકરબામાં આવેલા રહેણાંક હેતુ માટેના ૩૭૯૯ ચોરસમીટરના, થલતેજ વોર્ડમાં આવેલા રહેણાંક હેતુ માટેના ૪૦૬૨ ચોરસમીટરના પ્લોટનું તથા વટવા વોર્ડમાં આવેલા ૨૬૨૩ ચોરસમીટરના કોમર્શિયલ પ્લોટનુ ઈ-ઓકશન કરવામાં આવશે.


Google NewsGoogle News