11451 સ્કૂલો પાસે ફાયર NOC જ નથી, હાઇકોર્ટના આદેશ બાદ જાગેલી ગુજરાત સરકારની કબૂલાત

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
11451 સ્કૂલો પાસે ફાયર NOC જ નથી, હાઇકોર્ટના આદેશ બાદ જાગેલી ગુજરાત સરકારની કબૂલાત 1 - image


Gujarat: રાજકોટ અગ્નિકાંડ (Rajkot Fire Tragedy) કેસમાં રાજ્યની શાળાઓમાં ફાયર સેફ્‌ટીની સુવિધા ચકાસણી અંગે ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) અગાઉ જારી કરેલા હુકમ અનુસંધાનમાં રાજ્ય સરકાર (State Government) દ્વારા રાજ્યની શાળાઓમાં ફાયર સેફ્‌ટીની સ્થિતિ, ફાયર એનઓસી સહિતના મુદ્દે આંકડાકીય માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો, રાજ્યની 11,451 સ્કૂલોમાં તો ફાયર એનઓસી જ નથી. 

વિદ્યાર્થીઓ રામભરોસે અભ્યાસ કરી રહ્યા છે

સરકારનો જવાબ ઘ્યાને લઈએ તો, આ શાળાઓમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા જ નથી અને આવી સ્કૂલોમાં બાળકો-વિદ્યાર્થીઓ આગ-અકસ્માતના જોખમ વચ્ચે રામભરોસે અભ્યાસ કરી રહ્યા છે. સરકાર અને તંત્ર દ્વારા શાળાઓને ફાયર સેફ્‌ટીના સાધનો-સુવિધા અને નિયમો લાગુ કરવા 30 દિવસનો સમય આપ્યો છે.  ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદી(Pranav Trivedi)ની ખંડપીઠે સરકારનો જવાબ રેકર્ડ પર લીધો હતો. 

આ પણ વાંચો : દેશમાં પ્રથમ ક્રોકોડાઈલ પાર્કનો પ્રોજેક્ટ ધૂળધાણી, સંકલનના અભાવે 5 કરોડનો ખર્ચ વેડફાયો

9 મીટરથી વઘુ ઉંચાઈનું મકાન ધરાવતી શાળાઓ માટે ફાયર NOC ફરજિયાત

રાજ્યમાં આવેલી પ્રિ-પ્રાયમરીથી લઈ ઉચ્ચત્તર માઘ્યમિક શાળાઓમાં ફાયર સેફ્‌ટી(Fire Safety)ની સુવિધાને લઇ સરકાર અને તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો વિગતવાર અહેવાલ આજે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જેમાં એવી ચોંકાવનારી વાત સામે આવી હતી કે, રાજ્યની કુલ 55,344 શાળાઓમાં ફાયર સેફ્‌ટી મુદ્દે ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 11,451 સ્કૂલોમાં ફાયર એનઓસીની સુવિધા જ નહીં હોવાનું સામે આવ્યું હતું. 43,893 જેટલી શાળાઓએ સેલ્ફ ડેક્લરેશન કર્યું હતું. જયારે માત્ર 9563 શાળાઓ પાસે જ ફાયર એનઓસી હોવાનો ઘટસ્ફોટ પણ સામે આવ્યો હતો. ફાયર સેફ્‌ટી એક્ટ અને રૂલ્સની જોગવાઈ મુજબ, 9 મીટરથી વઘુ ઉંચાઈનું મકાન ધરાવતી શાળાઓ માટે ફાયર એનઓસી ફરજિયાત છે., તેથી હવે સ્કૂલોએ તાબડતોબ ફાયર એનઓસી મેળવવાની કવાયત હાથ ધરી છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં પોલીસ, મળતિયા અને કૌભાંડીઓની મદદથી ચાલી રહેલા ષડયંત્રનો કાયમી ઉકેલ ક્યારે?

સ્કૂલોએ કઈ કઈ મહત્ત્વની બાબતોનું ઘ્યાન રાખવાનું રહેશે...

સરકાર અને તંત્ર દ્વારા ચેકિંગ કરાયેલી સ્કૂલોમાં પાણીની ટાંકી, ફાયર સેફ્‌ટીના સાધનો, રેતી ભરેલી ડોલ સહિતની વ્યવસ્થા રાખવા સૂચના અપાઈ છે. આ સિવાય સ્કૂલોને જે બાબતોનું પાલન કરવા નિર્દેશ જારી કરાયા છે, તેમાં સ્કૂલોની અંદર કોઈ પણ જ્વલનશીલ પદાર્થ કે પ્રવાહી રાખી શકાશે નહીં. શાળાઓમાં મોટાપાયે ભીડ કે ટોળું એકત્ર થાય તેવું આયોજન કરી શકાશે નહીં. શાળાઓ વઘુ પડતો ઇલેક્ટ્રિક લોડ વાપરી શકશે નહીં. શાળાઓમાં ફાયર ઇવેક્યુએશન પ્લાન રાખવાનો રહેશે. તો 10,000 લિટરની પાણીની ટાંકી પણ રાખવાની રહેશે. ઉપરાંત, દરેક માળ પર ફાયર અગ્નિશામકના 4.5 કિલોથી 6 કિલોના બાટલા રાખવાના રહેશે. શાળાઓમાં સમયાંતરે મોકડ્રિલ અને ચેકિંગ થશે.

પ્રાઇવેટ શાળાઓમાં પણ ફાયર એનઓસી લેવાનું બાકી

લગભગ 1117 સ્કૂલોએ ફાયર એનઓસી માટે એપ્લાય કર્યું છે. તો 771 જેટલી શાળાઓ ફાયર સેફ્‌ટીના સાધનો વસાવી રહી છે.  પ્રિ-પ્રાયમરી અને પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો તપાસ કરાયેલી 43,833 શાળા પૈકી 31,987 સરકારી શાળા, 633 ગ્રાન્ટેડ શાળા અને 11,213 ખાનગી શાળા છે. તો, 11,511 સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળા પૈકી 1,403 સરકારી શાળા, 5064 ગ્રાન્ટેડ શાળા અને 5044 ખાનગી શાળા છે. પ્રાયમરી અને પ્રિ-પ્રાયમરીની કુલ 7,517 શાળા  છે, જેમાં ફાયર એનઓસી લેવાનું બાકી છે, જેમાં 2,263 સરકારી શાળા અને 5,132 ખાનગી શાળાનો સમાવેશ થાય છે. સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં ગ્રાન્ટેડ 1,039 શાળા અને 2,843 પ્રાઇવેટ શાળાએ ફાયર એનઓસી લેવાનું બાકી છે.

આ પણ વાંચો : ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી, BSFના બે મોટા અધિકારીઓને હટાવાયા, કારણ છે ચોંકાવનારું

11451 સ્કૂલો પાસે ફાયર NOC જ નથી, હાઇકોર્ટના આદેશ બાદ જાગેલી ગુજરાત સરકારની કબૂલાત 2 - image


Google NewsGoogle News