આવતીકાલથી નવરાત્રિનો આરંભ , અમદાવાદમાં ગરબા યોજવા હજી સુધી આઠ FIRE NOC મંજુર

બે દિવસમાં ફાયર વિભાગને ૬૬ અરજી મળી,૪૫ અરજી નું ઈન્સપેકશન પુરુ

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News

     આવતીકાલથી નવરાત્રિનો આરંભ , અમદાવાદમાં ગરબા યોજવા હજી સુધી આઠ FIRE NOC મંજુર 1 - image

  અમદાવાદ,મંગળવાર,1 ઓકટોબર,2024

આવતીકાલ ત્રીજી ઓકટોબરથી નવરાત્રિ પર્વનો આરંભ થશે.અમદાવાદમાં આવેલા વિવિધ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવા બે દિવસમાં ફાયર વિભાગ તરફથી માત્ર આઠ જેટલી ફાયર  એન.ઓ.સી.મંજુર કરવામાં આવી છે.બે દિવસમાં ફાયર વિભાગને ગરબા આયોજિત કરવા માટે ફાયર એન.ઓ.સી.મેળવવા ૬૬ જેટલી અરજી મળી છે. આ પૈકી ૪૫ અરજીનું ઈન્સપેકશન પુરુ કરાયુ છે.ગરબા જયાં યોજાવાના છે એવા સ્થળો પૈકી મોટાભાગના સ્થળોએ હજુ કામગીરી ચાલી રહી  હોવાથી કયારે કામગીરી પુરી થશે, કયારે ઈન્સપેકશન થશે અને કયારે ફાયર વિભાગની એન.ઓ.સી. મળશે.

આ વર્ષે અમદાવાદમાં અંદાજે સો થી પણ વધુ પાર્ટી પ્લોટમાં આયોજકો દ્વારા ગરબા આયોજિત કરવામાં આવનાર છે.ગરબાના સ્થળે ફાયર એન.ઓ.સી.મેળવવી ફરજિયાત બનાવવામા આવી હોઈ ફાયર વિભાગ પાસે બે દિવસના સમયમાં ૬૬ અરજીઓ ફાયર એન.ઓ.સી.મેળવવા આયોજકો તરફથી કરવામાં આવી છે. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ કહયુ, ફાયર વિભાગની વિવિધ ટીમ દ્વારા આવેલી અરજીઓ પૈકી ૪૫ અરજીઓનું ઈન્સપેકશન પુરુ કરાયુ છે. શહેરમાં જે સ્થળે ગરબા આયોજિત કરવામાં આવનાર છે તે સ્થળો પૈકી મોટાભાગના સ્થળે હજુ કામગીરી કરવાની બાકી  હોવાથી ઈન્સપેકશન કયારે કરી એન.ઓ.સી. આપવી એ બાબત વિભાગ માટે પણ મૂંઝવણરુપ બની રહેશે.


Google NewsGoogle News