ગુજરાતની એક બેઠક પર ઉમેદવારને એક પણ મત નહોતો મળ્યો અને છતાં સાંસદ બની ગયા હતા

આઝાદ ભારત પહેલાની એક ચૂંટણીમાં દેશની પાંચ બેઠકો પરના ઉમેદવારોને એક પણ મત મળ્યો નહતો

પાંચેય ઉમેદવારો મત ન મળવા છતાં ચૂંટણી પંચે વિજેતા જાહેર કર્યા હતા

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
ગુજરાતની એક બેઠક પર ઉમેદવારને એક પણ મત નહોતો મળ્યો અને છતાં સાંસદ બની ગયા હતા 1 - image


India First Lok Sabha Election History : લોકસભા ચૂંટણી-2024ની તૈયારીઓ વચ્ચે આઝાદ ભારત પહેલાની ચૂંટણીઓની વાત કરીએ તો તે સમયે પણ અનોખો કિસ્સો સામે આવ્યો હતો. આમ તો ચૂંટણીઓ સંબંધિત યાદગાર કિસ્સા ઘણાં છે. જો કે આઝાદ ભારત પહેલા એક એવી ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગુજરાતની એક બેઠક સહિત પાંચ બેઠકો પર ઉભા રહેલા ઉમેદવારને એકપણ મત નહોતો મળ્યો અને છતાં તેઓ ચૂંટણી જીતીને સાંસદ બની ગયા હતા.

પાંચ ઉમેદવારોને એક પણ મત નહીં છતાં જીતી ગયા

આવું માત્ર એક બેઠક પર નહીં, પરંતુ પાંચ લોકસભા બેઠકો પર થયું હતું, જેમાં ચૂંટણી જીતનારા નેતા હતા સૌરાષ્ટ્ર (Saurashtra)ની હાલાર બેઠક પરથી મેજર જનરલ એમ.એસ. હિંમતસિંહ, બિલાસપુરથી આનંદ ચંદ, કોઇમ્બતુરથી ટી.એ. રામાલિંગા, રાયગઢા ફૂલબનીથી ટી. સંગાના અને યાદગીર હૈદરાબાદથી કૃષ્ણ ચંદ જોશી. આ પાંચેય ઉમેદવારો ચૂંટણી લડ્યા વગર જીતી ગયા હતા.

દેશમાં પ્રથમ લોકસભા ચૂંટણી 1952માં યોજાઈ હતી

દેશમાં પ્રથમ લોકસભા ચૂંટણી 17 એપ્રિલ-1952માં યોજાઈ હતી, જેમાં સૌરાષ્ટ્રની હાલાર બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે મેજર જનરલ જનરલ એમ.એસ. હિંમતસિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમને એક પણ મત મળ્યો ન હતો. જો કે ચૂંટણી પંચે તેમને વિજેતા જાહેર કર્યા હતા. 1952ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે દેશની 489 બેઠકોમાંથી 364 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

કોણ હતા મેજર જનરલ હિંમતસિંહજી જાડેજા ?

મેજર-જનરલ હિંમતસિંહજી જાડેજા ભારતના પ્રથમ નાયબ સંરક્ષણ પ્રધાન અને હિમાચલ પ્રદેશના પ્રથમ લેફ્ટનન્ટ-ગવર્નર હતા. નવાનગર રાજ્યના શાસકોના વંશજ, તેમણે ભારતીય સેનામાં સેવા આપી, મેજર-જનરલના હોદ્દા સુધી પહોંચ્યા. એ પછી તેઓ ભારતના સંસદમાં નીચલા ગૃહના કેન્દ્રીય વિધાનસભા અને બંધારણ સભાના સભ્ય હતા. તેમણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ મેચો પણ રમી હતી.   રણજીતસિંહજીના ભત્રીજા અને દુલીપસિંહજીના ભાઈ હતા, જે બંને ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા.

હિંમતસિંહજી લશ્કરમાં પાછા ફર્યા

રાજકીય ક્ષેત્રે સેવા પછી બીજા વિશ્વયુદ્ધમાં તેમની જરૂરીયાત હોવાથી હિંમતસિંહજી લશ્કરમાં પાછા ફર્યા. યુદ્ધ પૂર્ણ થતાં તેમને મેજર-જનરલનો હોદ્દા આપવામા આવ્યો હતો. 1946ના નવા વર્ષના સન્માનમાં તેમને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર (CIE) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તે પછી વર્ષ 1946 માં ભારતના પૂર્વ-સ્વતંત્રતાના નીચલા ગૃહ, કેન્દ્રીય વિધાનસભા માટે ચૂંટાયા હતા, અને પછીથી બંધારણ સભાના સભ્ય પણ રહ્યા હતા. આઝાદી પછી સ્થપાયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય પણ હતા. જવાહરલાલ નેહરુના પ્રથમ મંત્રીમંડળમાં સંરક્ષણ નાયબ પ્રધાન તરીકે નિયુક્ત થયા. આ પદ પર તેમણે ચીનના આક્રમણ અને અંતિમ જોડાણ પહેલા તિબેટના સામ્રાજ્ય સાથે તેની સરહદે ભારતના સંરક્ષણમાં સુધારાની ભલામણ સમિતિની અધ્યક્ષતા કરી હતી. નિવૃત્તિ પછી હિંમતસિંહજીને હિમાચલ પ્રદેશના પ્રથમ લેફ્ટનન્ટ-ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,   આ પદ તેઓ વર્ષ 1952 થી 1954 સુધી સેવા આપી. 9 જાન્યુઆરી 1973ના રોજ જામનગરમાં હિંમતસિંહજીનું અવસાન થયું હતું.

ગુજરાતની એક બેઠક પર ઉમેદવારને એક પણ મત નહોતો મળ્યો અને છતાં સાંસદ બની ગયા હતા 2 - image


Google NewsGoogle News