વસ્ત્રાપુર રેલવે સ્ટેશને ટિકિટ રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરાયું
- સોમવારથી શનિવાર સુધી સવારે ૮ થી રાતના ૮ વાગ્યા સુધી તે ખુલ્લુ રહેશે
- રવિવારે બપોરના ૨ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે
અમદાવાદ,તા.08 જુન 2022, બુધવાર
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પર રેલવેની ટિકિટ રિઝર્વેશન કાઉન્ટર પૂનઃ શરૂ કરવામાં આવ્યું છે. સોમવારથી શનિવાર સુધી સવારે ૮ થી રાતના ૮ વાગ્યા સુધી તે ખુલ્લુ રહેશે.
રવિવારે બપોરના ૨ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. નોંધપાત્ર છેકે બોટાદ-ગાંધીધામ રેલવે લાઇનના ગેજ પરિવર્તનના કામને લઇને આ રિઝર્વેશન સેન્ટર બંધ કરાયું હતું.