અમદાવાદ-વિરમગામ વચ્ચે નવી મેમુ ટ્રેન દોડશે

- તા.1 નવેમ્બરથી આ ટ્રેન દોડતી થશે

- અમદાવાદ અપડાઉન કરતા મુસાફરોને મોટી રાહત

Updated: Oct 30th, 2021


Google NewsGoogle News

અમદાવાદ,તા.30 ઓક્ટોબર 2021, શનિવારઅમદાવાદ-વિરમગામ વચ્ચે નવી મેમુ ટ્રેન દોડશે 1 - image

તા.૧ નવેમ્બરથી અમદાવાદ-વિરમગામ વચ્ચે નવી મેમુ  સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ૦૯૪૫૯ નંબરની ટ્રેન અમદાવાદથી તા.૧ નવેમ્બરે ૧૮ઃ૩૦ કલાકે ઉપડીને તે જ દિવસે ૨૦ઃ૧૦ કલાકે વિરમગામ પહોંચશે. આ ટ્રેન શનિવાર સિવાય અઠવાડિયામાં ૬ દિવસ દોડશે.

તેવી જ રીતે ટ્રેન નં. ૦૯૪૬૦ વિરમગામથી તા.૨ નવેમ્બરથી સવારે ૦૭ઃ૫૦ કલાકે ઉપડીને તેજ દિવસે સવારે ૦૯ઃ૫૫ કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયામાં ૬ દિવસ દોડશે.

આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, આંબલી રોડ, સાણંદ, ચારોડી અને જાખવાડા સ્ટેશને રોકાશે.


Google NewsGoogle News