Get The App

નિરમા યુનિવર્સિટીના LAWના વિદ્યાર્થીઓની બસને અકસ્માત: 1નું મોત 15ને ઇજા

- અમદાવાદથી દીવ ફરવા જતા હતા ત્યારે તળાજા નજીક બસ ઉંધી થઇ જતાં દુર્ઘટના સર્જાઈ

Updated: Dec 21st, 2019

GS TEAM


Google News
Google News
નિરમા યુનિવર્સિટીના LAWના વિદ્યાર્થીઓની બસને અકસ્માત: 1નું મોત 15ને ઇજા 1 - image


અમદાવાદ તા. 21 ડિસેમ્બર 2019, શનિવાર

અમદાવાદ એસ.જી.હાઈવે નિરમા યુનિવર્સિટીના લો ના વિદ્યાર્થીઓની બસને શનિવારે મોડી સાંજે સૌરાષ્ટ્રમાં અકસ્માત નડ્યો છે ફરવા માટે દિવ જઈ રહેલા વિદ્યાર્થીઓની બસ પલટી ખાઈ જતા લો માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય ૧૫ જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ છે જેમાંથી બે થી ત્રણ વિદ્યાર્થીઓની હાલત ગંભીર ગણવામાં આવી રહી છે.

નિરમા યુનિવર્સિટીના LAWના વિદ્યાર્થીઓની બસને અકસ્માત: 1નું મોત 15ને ઇજા 2 - image

અમદાવાદથી જલારામ ટ્રાવેલ્સ લખેલી બસ તરફ જવા રવાના થઈ હતી જેમાં નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા લો ના વિદ્યાર્થીઓ પણ બેઠા હતા તળાજા મહુવા રોડ પર આ બસ પસાર થતી હતી ત્યારે જાગધાર ના ખાચા પાસે આ બસ એકાએક પલ્ટી ખાઇ ગઇ હતી બસ પલટી ખાઈ જતા અંદર બેઠેલા વિદ્યાર્થીઓ અને મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી કોઇ કશું સમજી શકતા ન હતા.

નિરમા યુનિવર્સિટીના LAWના વિદ્યાર્થીઓની બસને અકસ્માત: 1નું મોત 15ને ઇજા 3 - image

બસ પલટી ખાઈ ગઈ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને અંદર ફસાયેલા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને લોકોને બહાર કાઢ્યા હતા ત્યારબાદ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે પ્રાથમિક રીતે જાણવા મળે છે કે નિરમા યુનિવર્સિટી ના લો ના અભ્યાસક્રમ માં ભણતી એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે જ્યારે અન્ય ૧૫ જેટલા વિદ્યાર્થીઓને ઇજા પહોંચી છે જેમાં કેટલાક છોકરાઓ અને કેટલીક છોકરીઓ નો સમાવેશ થાય છે વધુ વિગત મેળવાઈ રહી છે.

Tags :