નારણપુરામાં આવેલી બે દૂધની દુકાનો પાસેથી અમુલ દૂધના કેરેટની ચોરી

દૂધની ચોરી કરનાર સીસીટીવી કેમેરા લઇ ગયા

અગાઉ પણ અન્ય દુકાનોમાંથી દૂધના કેરેટની ચોરી થયાની ઘટના બની ચુકી છેઃ નારણપુરા પોલીસે ગુનો નોંધ્યો

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
નારણપુરામાં આવેલી બે દૂધની દુકાનો પાસેથી અમુલ દૂધના કેરેટની ચોરી 1 - image

અમદાવાદ,સોમવાર

શહેરના નારણપુરા વિસ્તારમા અલગ અલગ સ્થળોએ આવેલી દૂધ અને મિઠાઇની દુકાન પાસેથી કોઇ વ્યક્તિ વહેલી સવારે અમુલ દૂધના કેરેટની ચોરી ગયાની ઘટના સામે આવી છે.આ અંગે નારણપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શહેરના ઘાટલોડિયામાં આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા સંજયભાઇ પટેલ નારણપુરા ચાર રસ્તા પાસે આવેલા મહર્ષિ કોમ્પ્લેક્સમાં તેમજ એઇસી ચાર રસ્તા પાસે આવેલા સહજાનંદ કોમ્પ્લેક્સમાં મિલ્ક પ્રોડક્ટ અને મિઠાઇનો વ્યવસાય કરે છે. તેમને ત્યાં વહેલી સવારે અમુલ દૂધની વાન આવીને નિયમિત રીતે દૂધના કેરેટ મુકીને જાય છે.ગત ૩૧મી માર્ચના રોજ સવારે મહર્ષિ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાન પર મુકવામાં આવેલા કેટલાંક દૂધના કેરેટની ચોરી થઇ હતી. જો કે આ સમયે તેમણે કોઇ ફરિયાદ નોંધાવી નહોતી.   બીજી તરફ સોમવારે  સવારે એઇસી ચાર રસ્તા પાસે આવેલી દુકાન પરથી દૂધના કેરેટની ચોરી થઇ હતી. એટલું જ નહી તસ્કરો સીસીટીવી કેમેરા પણ ચોરી ગયા હતા. આમ, એક જ સપ્તાહમાં દૂધના કેરેટની ચોરીની બે ઘટના બની હતી. જેથી આ અંગે નારણપુરા પોલીસ મથકે  સંજયભાઇએ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે.


Google NewsGoogle News