સાસરિયાના ત્રાસથી ૨૨ વર્ષીય પરિણીતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

રિવરફ્રન્ટ અટલબ્રીજ પરની ઘટના

અભયમ હેલ્પલાઇનના કર્મચારીએ કાઉન્સીલ કરીને પતિને સમજણ આપતા ઘર સંસાર તુટતા બચ્યો

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
સાસરિયાના ત્રાસથી ૨૨ વર્ષીય પરિણીતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો 1 - image

અમદાવાદ,રવિવાર

શહેરના રિવરફ્રન્ટ અટલબ્રીજ પાસે રવિવારે એક ૨૨ વર્ષીય પરિણીતાએ નદીમાં કુદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમયે અભયમ ૧૮૧ હેલ્પલાઇનના કર્મચારીએ સમયસર કાઉન્સીલીંગ કરીને તેના પતિ અને સાસરિયાઓને સમજાવટ કરતા પરિવાર તુટતા બચ્યો હતો.રવિવારે સવારે અટલબ્રીજ સાબરમતી રિવરફ્ન્ટ પર ૨૨ વર્ષની એક યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે અભયમ હેલ્પલાઇન ૧૮૧નો સ્ટાફ પોઇન્ટ પર હાજર હતો. જેથી કાઉન્સીલરે  યુવતીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે જમાલપુર રહે છે. થોડા મહિના પહેલા તેણે પડોશમાં રહેતા યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેના કારણે  પિયરપક્ષે તેની સાથે સંબધ તોડયો હતો. બીજી તરફ લગ્ન બાદ સાસરિયાઓ દ્વારા તેને માનસિક શારિરીક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી હતાશ થઇને તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી આ અંગે હેલ્પલાઇન દ્વારા યુવતીના પતિને બોલાવીને  સમજાવટ કરવામાં આવી હતી.જે બાદ તેના પતિને તેની ભૂલ સમજાતા માફી માંગીને પત્ની સાથે અન્યાય નહી થાય તેની ખાતરી આપતા સમાધાન થયું હતું. 


Google NewsGoogle News