જામનગરમાં કાલાવડ નાકા બહાર પાંચ હાટડી વિસ્તારમાં રહેતા એક એડવોકેટના રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરો

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
જામનગરમાં કાલાવડ નાકા બહાર પાંચ હાટડી વિસ્તારમાં રહેતા એક એડવોકેટના રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરો 1 - image


Image Source: Freepik

જામનગરમાં કાલાવડ નાકા બહાર પાંચ હાટડી વિસ્તારમાં રહેતા એક એડવોકેટના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું અને રાત્રી દરમિયાન ઘરમાં પ્રવેશ કરી એડવોકેટ નો પરિવાર નિંદ્રાધીન હતો, તે સમયગાળા દરમિયાન મકાનમાંથી રૂપિયા 17 હજારની રોકડ રકમ અને ઘર- ઓફિસ- સ્કૂટર- સહિતની ચાવીના ઝુડાની ચોરી કરી લઈ ગયા હતા.

આ ફરિયાદ ની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર પાંચહાટડી વિસ્તારમાં ટાંકનો ડેલોમાં રહેતા અને વકીલાત તરીકે નો વ્યવસાય કરતા આસિફભાઈ જીકરભાઈ શેરજી કે જેમણે આજે સવારે સિટી એ ડિવિઝન પોલીસમાં પોતાના ઘરમાંથી રૂપિયા 17 હજારની રોકડ રકમ અને ચાવીના ઝુડાની ચોરી થઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર એડવોકેટ અને તેમનો પરિવાર રાત્રી દરમિયાન ઘરમાં સૂતો હતો, જે દરમિયાન મોડીરાત્રીના સમયે કોઈ તસ્કરોએ મકાનની દીવાલ ટપી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને ઘરના કબાટ, એડવોકેટની ઓફિસ તથા સ્કૂટર સહિતના ચાવીના ઝુડાની ચોરી કરી લીધી હતી, તેમજ તે ચાવીની મદદથી કબાટ ખોલી અંદર રાખેલી રૂપિયા 12,000ની રોકડ રકમ તથા એડવોકેટના પેન્ટના ખિસ્સામાં રહેલા પર્સમાંથી રૂપિયા 5,000ની રોકડ સહિત 17,000ની રોકડ અને ચાવીના ઝુડાની ચોરી કરી ગયા નું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે. જે ફરિયાદના અનુસંધાને સિટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ દોડતો થયો છે.


Google NewsGoogle News