જામનગરના જિલ્લા કલેકટરને અયોધ્યાથી આવેલા પવિત્ર અક્ષત કળશ-આમંત્રણ પત્રિકા અપાઈ

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
જામનગરના જિલ્લા કલેકટરને અયોધ્યાથી આવેલા પવિત્ર અક્ષત કળશ-આમંત્રણ પત્રિકા અપાઈ 1 - image

જામનગર,તા.16 જાન્યુઆરી 2024,મંગળવાર

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર જામનગર સમિતિ દ્વારા જામનગરના જિલ્લા કલેકટર બી.એ.શાહને અયોઘ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ખાતેથી આવેલ પવિત્ર અક્ષત કળશ અને અયોધ્યાની મંદિરની પ્રતિકૃતિ તેમજ આમંત્રણ પત્રિકા તેમના નિવાસ્થાને અર્પણ કરવામાં આવી હતી. 

આ તકે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર જામનગર ટીમના ભરતભાઇ ડાંગરિયા, ધર્મેન્દ્રસિંહ જેઠવા, સુબ્રમણ્યમભાઈ પિલ્લે, કિંજલભાઈ કારસરીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેકટર બી.એ. શાહએ અક્ષત કળશનું પૂજન કરી આગામી 22 જાન્યુઆરીના શ્રી રામ જન્મભૂમિ ખાતે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન જામનગર વાસીઓને પણ સમરસતાથી નાત-જાતના ભેદભાવ વગર હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંદિર, તીર્થક્ષેત્ર સ્વચ્છતા અભિયાનમાં પણ સર્વે ને જોડાવા આહ્વાન કર્યું છે.


Google NewsGoogle News