Garlic Benefits: દરરોજ સવારે ભૂખ્યા પેટે લસણની એક કળી ખાવાના છે અઢળક ફાયદા
Image Source: Freepik
અમદાવાદ, તા. 05 ઓક્ટોબર 2023 ગુરૂવાર
લસણ દરેક ઘરના રસોડામાં સરળતાથી મળી જાય છે. દાળ હોય કે શાકભાજી લસણનો ઉપયોગ તમામમાં કરવામાં આવે છે. લસણમાં ઘણા ગુણ છુપાયેલા હોય છે જે આપણા આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે. વૈજ્ઞાનિક અભ્યાસોથી જાણ થાય છે કે લસણનું સેવન કરવાથી ઘણી જોખમી બીમારીઓ દૂર થઈ જાય છે. તેથી દરરોજ સવારે ખાલી પેટ લસણની એક કળી ખાવાથી તમે આ બીમારીઓથી બચી શકો છો.
જાણો શા માટે ખાલી પેટ લસણ ખાવામાં આવે છે
લસણમાં ઘણા એવા ગુણ હોય છે જે આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે પરંતુ આ ગુણોનો વધુ લાભ ઉઠાવવા માટે લસણને યોગ્ય રીતે અને યોગ્ય સમયે ખાવા જોઈએ. એક્સપર્ટ્સ અનુસાર સવારે ખાલી પેટ લસણ ખાવુ સૌથી ફાયદાકારક હોય છે. ખાલી પેટ લસણ ખાવાથી શરીરમાં તેના તત્વ સરળતાથી શોષાય જાય છે અને પોતાનુ કામ કરવાનું શરૂ કરી દે છે. આ પાચનશક્તિને મજબૂત બનાવે છે, પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે અને હૃદયના સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવે છે. આ સિવાય આ શુગર લેવલને કંટ્રોલ કરીને ડાયાબિટીસમાં મદદરૂપ છે તથા રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
બ્લડ પ્રેશર અને બ્લડ ક્લોટને ઘટાડે છે
ખાલી પેટ લસણ ખાવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. લસણમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે બ્લડ પ્રેશરને સ્થિર રાખવામાં મદદરૂપ હોય છે. આ બ્લડમાં ક્લોટ બનવાની શક્યતાને ઘટાડે છે. લસણ રક્ત પરિભ્રમણને શ્રેષ્ઠ બનાવે છે જેનાથી બ્લડ ક્લોટિંગનું જોખમ ઓછુ થાય છે.
કોલેસ્ટ્રોલ અને હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક
ખાલી પેટ લસણ ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. લસણમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. આ હૃદયની બીમારીના જોખમને ઓછુ કરવામાં પણ ફાયદાકારક હોય છે. લસણ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદયના આરોગ્ને શ્રેષ્ઠ બનાવે છે.