રાત્રે આ 4 ફળનું સેવન કરવાનું ટાળવુ નહીંતર ફાયદાના બદલે થઈ શકે છે નુકસાન
Image Source: Freepik
અમદાવાદ, તા. 03 ઓક્ટોબર 2023 મંગળવાર
ફળમાં પોષકતત્વોનો ખજાનો હોય છે. તેને ખાવાથી શરીરને શક્તિ મળે છે અને તેના પોષક તત્વ બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. જોકે ફળોને પણ ખાવાનો સાચો સમય હોય છે. દરેક સમયે ફળ ખાવા નુકસાનકારક હોઈ શકે છે. અમુક ફળ તો એવા પણ છે, જેમને જો રાત્રે ખાવામાં આવે તો આરોગ્યને ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે.
સફરજન
આરોગ્ય માટે સફરજન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ શરીરમાં આયર્નની ઉણપને દૂર કરે છે અને ભરપૂર પ્રમાણમાં વિટામિન-મિનરલ્સ ઉપલબ્ધ કરાવે છે. નિયમિતરીતે સફરજનનું સેવન ઘણી બીમારીઓથી બચાવી શકે છે. જોકે, રાત્રે સફરજન ખાવાની ના પાડવામાં આવે છે કેમ કે આ પાચન સંબંધી સમસ્યાઓ પેદા કરી શકે છે.
કેળા
રાત્રે જે ફળને ખાવાથી બચવુ જોઈએ તેમાં કેળા પણ સામેલ છે. આમ તો કેળામાં ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વ હોય છે. આ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. જોકે, રાત્રે કેળા ખાવા આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. રાત્રે કેળા ખાવાથી શરીરનું તાપમાન વધી શકે છે. કેળા ખૂબ ભારે હોય છે, આ કારણસર પાચન પર પણ ખરાબ અસર પડે છે.
ચીકુ
ચાકુ ખાવાથી આરોગ્ય તંદુરસ્ત રહે છે. આમાં ઘણા પોષક તત્વ હોય છે. આ આંખો માટે જોરદાર ફાયદાકારક ફળ છે. નિયમિત ચીકુ ખાવાથી આંખોની રોશની સારી રહે છે અને થાક જેવી સમસ્યાઓ દૂર થાય છે. ચીકુમાં શુગર વધુ હોવાથી રાત્રે આ ફળ ખાવુ જોઈએ નહીં.
તરબૂચ
ઉનાળામાં તરબૂચ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ એવુ ફળ છે, જે શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે. તરબૂચ શરીરને ઠંડુ પણ રાખે છે. તરબૂચમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે તો આ ફળ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. રાત્રે આને ખાવાથી નુકસાન થઈ શકે છે. રાત્રે આને ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે.