મચ્છરજન્ય રોગનું સંક્રમણ, અમદાવાદમાં ૧૧ માસમાં ડેન્ગ્યૂના ૨૩૭૩ કેસ,સંક્રમિત ત્રણનાં મોત

ગોતા,સરખેજ ઉપરાંત જોધપુર,રામોલ વોર્ડમાં ડેન્ગ્યૂના સૌથી વધુ કેસ નોંધાયા

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News

     મચ્છરજન્ય રોગનું સંક્રમણ, અમદાવાદમાં ૧૧ માસમાં ડેન્ગ્યૂના ૨૩૭૩ કેસ,સંક્રમિત ત્રણનાં મોત 1 - image

  અમદાવાદ,મંગળવાર,21 નવેમ્બર,2023

અમદાવાદમાં મચ્છરજન્ય રોગનું સંક્રમણ થોડાસમયમાં ઘટતુ જોવા મળી રહયુ છે.આ વર્ષની શરુઆતથી નવેમ્બર સુધીમાં ડેન્ગ્યુના કુલ ૨૩૭૩ કેસ નોંધાયા છે.આ વર્ષે ડેન્ગ્યૂ સંક્રમિત ત્રણનાં મોત થયા છે.ગોતા,સરખેજ ઉપરાંત જોધપુર,રામોલ વોર્ડમાં ડેન્ગ્યૂના સૌથી વધુ કેસ નોંધાવા પામ્યા છે.

વર્ષ-૨૦૨૨માં શહેરમાં ડેન્ગ્યૂના કુલ ૨૫૩૮ કેસ નોંધાયા હતા.આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં ડેન્ગ્યૂના કુલ ૨૩૭૩ કેસ નોંધાઈ ગયા છે.આ વર્ષના આરંભે જાન્યુઆરીમાં ડેન્ગ્યૂથી એક દર્દીનું મોત થયુ હતુ.સપ્ટેમ્બર મહિનામાં બે દર્દીના ડેન્ગ્યૂથી મોત થયા હતા.નવેમ્બર-૨૦૨૩માં મેલેરિયાના ૯૨ ઉપરાંત ઝેરી મેલેરિયાના ૨૮ કેસ નોંધાયા છે.ડેન્ગ્યૂના ૧૪૨ તથા ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે.ઝાડા ઉલટીના ૨૬૯ તથાટાઈફોઈડના ૧૭૬ તેમજ કમળાના ૭૧ કેસ નોંધાયા છે.પાણીના તપાસ માટે લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૨૨૯ સેમ્પલનો કલોરીન રિપોર્ટ નીલ આવ્યો છે.જયારે પાણીના ૩૧ સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.

વોર્ડવાઈસ ડેન્ગ્યૂનાં કયાં-કેટલાં કેસ

વોર્ડ              કુલ કેસ

રામોલ         ૧૪૫

બહેરામપુરા     ૯૭

લાંભા           ૧૩૩

ચાંદલોડીયા    ૧૧૯

ગોમતીપુર      ૧૦૫

ગોતા           ૧૨૩

જોધપુર        ૭૦

સરખેજ         ૧૧૩

વટવા          ૭૫



Google NewsGoogle News