BSNL લેન્ડલાઇન ફોન ચાલુ જ રાખો, સિનિયર સિટીઝન્સને હાલાકી હોવા છતાં માગ સ્વીકારાતી નથી

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
BSNL લેન્ડલાઇન ફોન ચાલુ જ રાખો, સિનિયર સિટીઝન્સને હાલાકી હોવા છતાં માગ સ્વીકારાતી નથી 1 - image


Demand To Continue BSNL Landline Phone: લેન્ડલાઇન ફોનનું ચલણ ભલે હવે ધીરે-ધીરે ઘટી રહ્યું છે, પરંતુ આજે પણ ખાસ કરીને અનેક સિનિયર સિટીઝન્સ એવા છે જેમને મોબાઇલ નહીં પણ લેન્ડલાઇન ફોન જ ફાવે છે.  છતાં બીએસએનએલ દ્વારા આ સિનિયર સિટીઝન્સના લેન્ડલાઇન ફોનનું કનેક્શન ચાલુ કરવાની તસ્દી લેવામાં આવી રહી નથી.

'10 મહિનાથી લેન્ડલાઇન ફોન બંધ'

ગુજરાતમાં હજુ ચાર લાખ જેવા ઘરમાં લેન્ડલાઇન ફોનના કનેક્શન છે. પરંતુ યોગ્ય સર્વિસ નહીં મળતાં તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે નવા વાડજમાં રહેતા પ્રકાશચંદ્ર સોનીએ જણાવ્યું કે, 'સિનિયર સિટીઝન હોવાથી મને અને મારી પત્નીને લેન્ડલાઇન ફોનનો ઉપયોગ જ ફાવે છે. અમારો લેન્ડલાઇન ફોન 10 મહિનાથી બંધ છે. તમામ બિલ ભરપાઈ કરેલા હોવા છતાં લેન્ડલાઇન ફોન ચાલુ કરવામાં આવ્યો નથી.'

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ગ્રાન્ટેડ અને ખાનગી સંચાલકો સામસામે, 50 વર્ષમાં પહેલીવાર ઉમેદવાર જ સસ્પેન્ડ

પ્રકાશચંદ્ર સોનીએ જણાવ્યું હતું કે, 'લેન્ડલાઇન ફોન ચાલુ કરવા બીએસએનએલ ઑફિસમાં અનેક વખત ધરમધક્કા ખાધા છે. પરંતુ દર વખતે કર્મચારીઓ દ્વારા ઉડાઉ જવાબ જ આપવામાં આવે છે. માર્ચ અને મે મહિનામાં બે વખત લેખિત અરજી કરી છે, પણ હજુ કોઈ પ્રતિઉત્તર આપવાની તસ્દી તેમના દ્વારા કરાઈ નથી. બીએસએનએલના રેઢિયાળ તંત્રથી કંટાળીને આખરે સ્ટેચ્યુટરી નોટિસ આપેલી છે. ફોન નહીં ચાલુ કરાતાં અમે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છીએ. હવે તાત્કાલીક ફોન ચાલુ નહીં કરવામાં આવે તો અમારે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે.'

BSNL લેન્ડલાઇન ફોન ચાલુ જ રાખો, સિનિયર સિટીઝન્સને હાલાકી હોવા છતાં માગ સ્વીકારાતી નથી 2 - image


Google NewsGoogle News