Get The App

અમદાવાદ અકસ્માત કેસ, નશેડી રીપલ પંચાલને મળ્યા શરતી જામીન

Updated: Nov 26th, 2024


Google News
Google News
અમદાવાદ અકસ્માત કેસ, નશેડી રીપલ પંચાલને મળ્યા શરતી જામીન 1 - image


Ahmedabad Road Accident: અમદાવાદ શહેરના બોપલ-આંબલી રોડ પર સોમવારે (25મી નવેમ્બર) સવારે ઓડીના કારચાલક રીપલ પંચાલે નશાની હાલતમાં 5થી 7 વાહનોને અડફેટે લીધા હતા. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યારે આજે (26મી નવેમ્બર) રીપલને કોર્ટમાં રજૂ કરતાં 15 હજાર રૂપિયાના શરતી જામીન આપવામાં આવ્યા છે. 

જાણો શું છે સમગ્ર મામલો

સોમવારે (25મી નવેમ્બર) વહેલી અમદાવાદના બોપલ-આંબલી રોડ પર વૈભવી ઓડી કારચાલક રીપલ પંચાલે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી પાંચથી સાત જેટલા વાહનો અડફેટે લીધા હતા. ત્યારબાદ તેની કાર રેલીંગ સાથે અથડાતાં રોકાઇ ગઇ હતી. ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ રીપલ મેથીપાક ચખાડ્યો હતો. જોકે પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી.

'દવાના ડોઝના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે'

બીજી તરફ અકસ્માત સર્જનાર રીપલ પંચાલની પત્ની કાનન પંચાલનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 'રીપલ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા એક દોઢ વર્ષથી રીપલની સારવાર પણ ચાલી રહી છે. કદાચ તેણે સવારે દવા લીધી હશે તેની એકદમ અસર થઈ હશે તેના કારણે આ ઘટના સર્જાઈ હોવાનું મને લાગી રહ્યું છે. જેમને ઈજા પહોંચી છે તેઓ ઝડપથી સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.'

અમદાવાદ અકસ્માત કેસ, નશેડી રીપલ પંચાલને મળ્યા શરતી જામીન 2 - image

Tags :
Ahmedabad-Road-AccidentRipal-Panchalbail

Google News
Google News