Get The App

સરકારનો મોટો નિર્ણય: શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારની નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને મળી રાહત

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
સરકારનો મોટો નિર્ણય: શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારની નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને મળી રાહત 1 - image


Relief In Non TP Area : રાજ્યના 8 શહેરો સહિત ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા પ્રિમિયમમાં રાહત આપતો મહત્ત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.

શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને રાહત

આ નિર્ણય અનુસાર ડી-1 કેટેગરીમાં આવતા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા), ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા), સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા), વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (વુડા) અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રુડા) ડી-2 કેટેગરીમાં જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ (જુડા), જામનગર શહેરી વિકાસ સત્તામંડળ (જાડા) અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળ (ભાડા)ના વિસ્તારો ઉપરાંત ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં નોન ટી.પી. વિસ્તારમાં 40 ટકા કપાત બાદ કરીને 60 ટકા જમીનનું પ્રિમિયમ વસૂલ કરવામાં આવશે.

આ પણ વાંચો : દિવાળી પહેલા કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા નવા આઠ મહેમાન, વેકેશનમાં જરૂર જજો

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યના ડી-1 અને ડી-2 કેટેગરીના 8 શહેરો અને ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને કપાતમાં જતી જમીન ઉપર જે પ્રિમિયમ ભરવું પડતું હતું તેમાથી મુક્તિ મળશે અને માત્ર તેમની પાસે રહેનારા 40 ટકા કપાતના ધોરણો પછીના સુચિત પ્લોટના અંતિમ ખંડના ક્ષેત્રફળ જેટલા જ વિસ્તારનું પ્રિમિયમ ભરવાનું રહેશે.

મુખ્યમંત્રી સુધી રજૂઆત બાદ લેવાયો નિર્ણય

મુખ્યમંત્રીના નિર્ણય પછી બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો થશે અને તેનો સીધો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે. આ મામલે સરકારને અનેક રજૂઆતો આવી હતી કે, રાજ્યમાં આ શહેરી વિકાસ સત્તામંડળોમાં સમાવિષ્ટ વિસ્તારો પૈકી નગર રચના યોજના જાહેર ન થઈ હોય એવા નોન ટી.પી.માં સમાવિષ્ટ વિસ્તારોમાં 40 ટકા જમીન કપાત કરીને પ્લોટ વેલીડેશન સર્ટીફિકેટ ઈશ્યુ કરીને અંતિમ ખંડની ફાળવણી કરવામાં આવે છે. આના પરિણામે કબજેદારને અંતિમ ખંડ તરીકે 60 ટકા અને સંબંધિત સત્તામંડળને 40 ટકા જમીન કપાત પેટે સંપ્રાપ્ત થાય છે. આવા કિસ્સાઓમાં કબજેદાર પાસે બાકી રહેતી 60 ટકા જમીન અથવા ખરેખર કપાત બાદ બાકી રહેતી જમીન માટે જ ખેતીથી ખેતી તેમજ ખેતીથી બિનખેતીનું પ્રિમિયમ વસૂલ કરવું જોઈએ. એટલું જ નહિ, જ્યાં ટી.પી. લાગુ થઈ હોય ત્યાં કપાત અને રાખવાપાત્ર જમીનનું ધોરણ 40 ટકા અને 60 ટકાનું છે, એજ રીતે જ્યાં ડેવલપમેન્ટ પ્લાન-ડી.પી લાગુ થયો હોય ત્યાં પણ આ જ ધોરણ એટલે કે, 40 ટકા અને 60 ટકાનું રાખવું જોઈએ.

વર્ષ 2018નો ઠરાવ

મુખ્યમંત્રીને એવી પણ રજૂઆતો આવી હતી કે, વર્ષ 2018ના ઠરાવની જોગવાઈથી ટી.પી. વિસ્તાર કે ટી.પી.નો ઈરાદો જાહેર થયો હોય ત્યાં ‘એફ’ ફોર્મના ક્ષેત્રફળ મુજબ અથવા ૪૦ ટકા કપાતના ધોરણોને ધ્યાને લઈને અંતિમ ખંડ ઉપર ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીનું પ્રિમિયમ વસૂલ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. તેવી જ રીતે નોન ટી.પી. વિસ્તારમાં પણ 40 ટકા કપાતના ધોરણ ધ્યાને લઈને બચત રહેતી જમીનના ક્ષેત્રફળ વિસ્તાર જેટલું પ્રિમિયમ વસૂલ લેવામાં આવે.   

આ પણ વાંચો : અમદાવાદના કાલુપુરમાં ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી, ફસાયેલા 20 લોકોને બચાવાયા, જાનહાનિ ટળી

પ્રિમિયમ વસૂલ કરવાના નિર્દેશ

રાજ્યના ડી-1 અને ડી-2 કેટેગરીના તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળોમાં જ્યાં ટી.પી. લાગુ થઈ નથી, તેવા નોન ટી.પી. વિસ્તારમાં હવે પછીથી સંબંધિત સત્તામંડળ પાસેથી વેલીડેશન સર્ટિફિકેટ મેળવ્યા બાદ બાકી રહેતી 60 ટકા જમીન ઉપર ખેતીથી ખેતી અને ખેતીથી બીન ખેતીનું પ્રિમિયમ વસૂલ કરવાના નિર્દેશ આપ્યા.


Google NewsGoogle News