Get The App

મકતમપુરા વોર્ડના AIMIMનાં કોર્પોરેટરને ત્રીજુ સંતાન થતાં ગેરલાયક ઠેરવવા રજૂઆત કરાઈ

મ્યુનિસિપલ સેક્રેટરીએ કોર્પોરેટરને સાત દિવસમાં લેખિત ખુલાસો કરવા જાણ કરી

Updated: Mar 19th, 2025


Google News
Google News

     મકતમપુરા વોર્ડના  AIMIMનાં કોર્પોરેટરને ત્રીજુ સંતાન થતાં ગેરલાયક ઠેરવવા રજૂઆત કરાઈ 1 - image

  અમદાવાદ,મંગળવાર,18 માર્ચ,2025

અમદાવાદના મકતમપુરા વોર્ડમાંથી એ.આઈ.એમ.આઈ.એમ.ના કોર્પોરેટર બનેલા મહંમદઝુબેર પઠાણને ત્રીજુ સંતાન થતાં કોર્પોરેટર પદેથી તેમને ગેરલાયક  ઠેરવવા મ્યુનિસિપલ સેક્રેટરી અરુણ પંડયા સમક્ષ રજૂઆત કરાઈ છે.મ્યુનિસિપલ સેક્રેટરીએ કોર્પોરેટરને આ અંગે સાત દિવસમાં લેખિત ખુલાસો કરવા જાણ કરી છે.આ કોર્પોરેટરનું પદ જોખમમાં આવી ગયુ છે.આ અંગે મ્યુનિ.કમિશનર અંતિમ નિર્ણય કરશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

મકતમપુરા વોર્ડમાંથી વર્ષ-૨૦૨૧માં ચૂંટણી લડીને કોર્પોરેટર બનેલા એ.આઈ.એમ.આઈ.એમ.ના કોર્પોરેટર મહંમદઝુબેર અબ્દુલ મજીદખાન પઠાણને ઓકટોબર-૨૦૨૪માં ત્રીજુ સંતાન થયું હોવાની પુરાવા સાથેની લેખિત ફરિયાદ મ્યુનિસિપલ સેક્રેટરીને કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં આ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે.આ અંગે મ્યુનિસિપલ સેક્રેટરીને પુછતાં તેમણે કહયુ,આ અંગે રજૂઆત મળી છે.કોર્પોરેટરને નિયત સમય મર્યાદામાં આ અંગે લેખિત ખુલાસો કરવા જાણ કરાઈ છે.કોર્પોરેટર તરીકે ડિસ્કવોલીફાય કરવાનો નિર્ણય લેવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર પાસે છે.મ્યુનિસિપલ કોર્પોરેશન જે જી.પી.એમ.સી.એકટ મુજબ ચાલે છે તેની કલમ-૧૦ની પ્રમાણે, ગુજરાત સ્થાનિક સત્તામંડળોને લગતા સુધારા અધિનિયમ -૨૦૦૫ મુજબ બે કે તેથી વધુ સંતાન ધરાવતી હોય તેવી વ્યકિતએ જેટલા બાળકો ધરાવતી હોય તે સંખ્યામાં વધારો ના થાય ત્યાં સુધી ગેરલાયક ઠેરવી શકાય નહીં.


Tags :
AMCworkpolicy

Google News
Google News