Get The App

શિક્ષણ, રોજગારથી માંડીને રોડ-રસ્તાઓ અને સરકારી વિભાગો સુધી... જાણો બજેટની મહત્ત્વપૂર્ણ જાહેરાતો...

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
શિક્ષણ, રોજગારથી માંડીને રોડ-રસ્તાઓ અને સરકારી વિભાગો સુધી... જાણો બજેટની મહત્ત્વપૂર્ણ જાહેરાતો... 1 - image


Gujarat Budget: ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઈએ આજે ગુજરાત સરકારનું વર્ષ 2025-26 માટે 3,70,250 કરોડનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. દેસાઈએ ચોથા બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષીય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. આ વખતે બજેટમાં કૃષિ (agriculture budget), શિક્ષણ (education budget), આરોગ્ય અને સિંચાઈની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત બજેટમાં શું શું મોટી જાહેરાત કરવામાં આવી છે તેના પર એક નજર કરીએ. 

આ પણ વાંચો: ગુજરાતમાં બે નવા એકસપ્રેસ-વે બનાવવાની જાહેરાત, જુઓ ક્યાં બનશે

  • આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5120 કરોડની ફાળવણી કરાઈ.
  • 10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે.
  • અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા 755 કરોડની જોગવાઈ.
  • ઘરનું ઘર સ્વપન સાકાર કરવા 3 લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન.  
  • મેન્યુફેકચરિંગ પાર્ક અને ટેક્સટાઇલ નીતિથી પાંચ લાખ રોજગારીનું સર્જન કરવામાં આવશે.
  • મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજના હેઠળ મુખ્ય શહેરોમાં ગ્રીન રિંગ રોડ વિકસાવવા માટે 200 કરોડની જોગવાઈ.
  • રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતાં ડીસાથી પીપાવાવ રસ્તાને નમોશક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે. 
  • 664 આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજે 1 લાખ વિધાર્થીઓ માટે 547 કરોડની જોગવાઈ.
  • 176 સરકારી છાત્રાલયો અને 921 ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયોના અંદાજિત 70 હજાર વિદ્યાર્થીઓ માટે 313 કરોડની જોગવાઈ.
  • પ્રિ મેટ્રીકના આશરે 13 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 160 કરોડની જોગવાઈ.
  • ધો. 1થી 8માં અભ્યાસ કરતાં અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 108 કરોડની જોગવાઈ.
  • વિદ્યા સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી 33 હજાર આદિજાતિ વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે સાયકલ આપવા 15 કરોડની જોગવાઈ.
  • મુખ્યમંત્રી આદિમજુથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 125 કરોડની જોગવાઈ.
  • મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ 102 કરોડની જોગવાઈ.
  • મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 100 કરોડની જોગવાઈ.
  • સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ 87 કરોડની જોગવાઈ.
  • કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે 42 કરોડની જોગવાઈ.
  • આદિજાતિ વિસ્તારની નિવાસી શાળાઓમાં ગ્રીન કેમ્પસ બનાવવા 7 કરોડની જોગવાઈ.
  • આદિજાતિના લોકોને વ્યક્તિગત ધોરણે આવાસ સહાય માટે 99 કરોડની જોગવાઈ.
  • દૂધ સંજીવની યોજના અંતર્ગત 233 કરોડની જોગવાઈ.
  • નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ માટે મોટી જાહેરાત 
  • નવલખી અને મગદલ્લા બંદર માટે 250 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 
  • યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા ફાળવાયા. 
  • દાહોદમાં નવું ગ્રીન ફિલ્ડ ઍરપોર્ટ વિકસાવામાં આવશે. 
  • પોરબંદર, ભાવનગર, સુરત ઍરપોર્ટના વિસ્તરણ માટે 210 કરોડ રૂપિયા ફાયવાયા.
  • પારસી સર્કિટ, ક્રૂઝ ટુરિઝમ, બીચ હોટલ્સ માટે 50 કરોડની જોગવાઈ
  • નાના શહેરોને મોટા શહેરોના હવાઈ માર્ગે જોડવા 45 કરોડની ફાળવણી કરાઈ.
  • બંદરો અને વાહન વિભાગ માટે 4283 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ.
  • વિદ્યા અને ટૅક્નોલૉજી વિભાગ માટે 2535 કરોડ રૂપિયા ફાળવાયા.
  • ઉઘોગ અને ખાણ વિભાગ માટે 11706 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ.
  • પ્રવાસન યાત્રાધામ માટે 2748 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ.
  • કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22498 કરોડ રૂપિયા ફાળવાયા.
  • ઉર્જા અન પેટ્રોકેમુકલ્સ વિભાગ માટે 6751 કરોડ રૂપિયા ફાળવાયા.
  • સામાન્ય વહીવટ વિભાગ માટે 1999 કરોડ રૂપિયા ફાળવાયા.
  • કલાયમેન્ટ ચેન્જ માટે 429 કરોડ રૂપિયા, ગૃહ વિભાગ માટે 12659 કરોડ રૂપિયા ફાળવાયા.
  • કાયદા વિભાગ માટે 2654 કરોડ રૂપિયા ફાળવાયા.
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે 362 કરોડ રૂપિયા ફાળવાયા
  • મહેસુલ વિભાગ માટે 5427 કરોડ રૂપિયા ફાળવાયા.
  • વન અને પર્યાવરણ વિભાગ માટે 3140 કરોડ રૂપિયાની જાહેરાત.
  • 1450 ડિલક્સ અને 450 મીડી બસ એમ કુલ 1850 નવી બસ, 200 પ્રીમિયમ એસી બસો અને 10 કાર વાન મૂકાશે. એસટી બસના અકસ્માત નિવારવા માટે ઓડિયો-વીડિયો એલર્ટ સિસ્ટમ ગોઠવાશે.
  • શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા ફાળવાયા.
  • દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ વિકસાવાશે.
  • મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઈ.
  • આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઈ.
  • મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયા ફાળવાયા.
  • દિવ્યાંગોને વાર્ષિક રૂ. 12 હજારની સહાય આપવાની જાહેરાત કરાઈ.
  • MSME અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઓ માટે 3600 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. 


Google NewsGoogle News