રિવરફ્રન્ટ પર સેલ્ફી લેતા લોકો ચેતી જાય, ગઈ કાલે એકનું થયું મોત

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
રિવરફ્રન્ટ પર સેલ્ફી લેતા લોકો ચેતી જાય, ગઈ કાલે એકનું થયું મોત 1 - image

- ઘોડાસરની રામેશ્વર સોસાયટીમાં રહેતાં પતિ પત્ની સોમવારે રાત્રે રિવરફ્રન્ટ પર ફરવા માટે આવ્યા હતા

અમદાવાદ,તા.3 જાન્યુઆરી 2023,બુધવાર

સાબરમતી રિવરફ્રન્ટના વોક વે પર સેલ્ફી લેવા જતા કે રીલ બનાવવા જતા અનેક વાર ગંભીર ઘટના બનવાનો ડર રહે છે.  ત્યારે  એક ગંભીર ઘટના સાબરમતી રિવરફ્રન્ટ પર બની છે. જેમાં વોક વે પર ગ્રીલ પાસે સેલ્ફી લેવા જતા પતિ તેની પત્ની સામે પણ પાણીમાં ડુબી ગયો હતો. જેમાં તેનું મરણ થયું હતું.  આ અંગે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગતો એવી છે કે ઘોડાસર આવકાર હોલ પાસે આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 29 વર્ષીય યશ કંસારા અને તેની પત્ની સોમવારે સાંજે રિવરફ્રન્ટ પર ફરવા માટે આવ્યા હતા. જેમાં ઇસ્ટ વોક વે પર ચાલતા ચાલતા જતા હતા ત્યારે  રેલીંગ પર બેસીને યશ ફોટો પાડી રહ્યો હતો ત્યારે અચાનક પગ લપસી જતા તે પાણીમાં પડી ગયો હતો. આ સમયે તેની પત્ની અને આસપાસના લોકોએ બુમાબુમ કરીને તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી.  લગભગ બે થી ત્રણ મિનિટમાં ફાયરબ્રિગેડનો સ્ટાફ સ્પીડ બોટ સાથે પહોંચી ગયો હતો અને બહોશ હાલતમાં યશને બહાર કાઢ્યો હતો.જો  કે તેનું મરણ થયું હતું. આ અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 

આ અંગે ફાયરબ્રિગેડના કર્મચારીએ જણાવ્યું હતું કે રિવરફ્રન્ટ વોક વે પર રેલીંગ પાસે બેસીને રીલ બનાવતા કે સેલ્ફી લેતા સમયે અનેક વાર પાણીમાં પડી જતા મૃત્યુ થવાના અનેક બનાવો બનાવો છે. જેથી રેલીંગથી દુર રહીને ફોટા પાડવા જોઇએ.



Google NewsGoogle News