'કબૂતરબાજી' મામલે મોટા સમાચાર, 21 જેટલા ગુજરાતીઓ સામેલ હોવાનો ખુલાસો

એજન્ટો કેટલા પૈસા લીધા, શું વાયદા કર્યા અને ત્યાં ગયેલા લોકોની સ્થિતિની તપાસ શરૂ

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
'કબૂતરબાજી' મામલે મોટા સમાચાર, 21 જેટલા ગુજરાતીઓ સામેલ હોવાનો ખુલાસો 1 - image


Human Trafficking: માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સમાં 4 દિવસથી અટકાવાયેલી ફ્લાઈટ આજે સવારે મુંબઈ એરપોર્ટ પર પહોંચી છે. સવારે લગભગ 4.30 કલાકે 276 લોકો ફ્લાઈટમાં પરત આવ્યા છે. ત્યારે હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, આ મુસાફરોમાંથી 21 જેટલા લોકો ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. આ બધા પાટણ,બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

આ લોકોએ ફ્રાન્સમાં જવાની માંગ કરી

મળતા અહેવાલો મુજબ, એરપોર્ટ પહોંચતા જ CISFએ તેમની પૂછપરછ કરી હતી. તો ઘણા લોકો મીડિયાના સવાલોનો જવાબ આપવાથી બચવાનો પ્રયાસ કરી ભાગતા જોવા મળ્યા હતા. મોટાભાગના લોકો ગુજરાત,પંજાબ અને દક્ષિણ ભારતના છે. આ ફ્લાઈટ સોમવારે બપોરે 2.20 કલાકે ભારત આવવાની હતી. જોકે કેટલાક લોકોએ પરત ન ફરવા જીદ કરતા ફ્લાઈટના ટેકઓફમાં વિલંબ થયો હતો. આ લોકોએ ફ્રાન્સમાં જવાની માંગ કરી હતી.

કબૂતરબાજી અને એજન્ટને લઈને તપાસ શરૂ

CID આ મામલે તપાસ શરૂ કરી છે. જેમાં 4 DYSPની 16 પોલીસ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ છે. કબૂતરબાજી, અને એજન્ટને લઈને તપાસ શરૂ કરી છે. ભોગ બનનારના નિવેદન લઈને તપાસ શરૂ કરી દેવાઈ છે. એજન્ટો કેટલા પૈસા લીધા, શું વાયદા કર્યા અને ત્યાં ગયેલા લોકોની સ્થિતિની તપાસ શરૂ કરી છે. હજી સુધી મુસાફરો પોતાના ઘરે પહોંચ્યા નથી પરંતુ માનવામાં આવે છે કે, આજે મોડી સાંજ સુધીમાં 21 જેટલા મુસાફરો ઘરે પહોંચશે.

ઉલ્લેખનિય છે કે, 22 ડિસેમ્બરે સાઉદી અરેબિયા (UAE)ના દુબઈ એરપોર્ટ પરથી નિકારાગુઆ જઈ રહેલી ફ્લાઈટ ઈંધણ ભરાવવા ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ દરમિયાન ફ્રાન્સના અધિકારીઓને માનવ તસ્કરીની આશંકા જતા એરપોર્ટ પર પોલીસનો કાફલો ખડકી ફ્લાઈટને અટકાવી દેવાઈ હતી. અધિકારીઓને બાતમી મળી હતી કે, ફ્લાઈટમાં બેઠેલા ભારતીય સહિતના લોકો માનવ તસ્કરીનો ભોગ બની રહ્યા છે, ત્યાર બાદ ફ્લાઈટને અટકાવી દેવાઈ હતી.


Google NewsGoogle News