Get The App

અમદાવાદ જગન્નાથ મંદિર દર્શન માટે ખુલ્લું મુકાયું

- મંદિરમાં પ્રવેશ કરવા સેનિટાઇઝ ટનલમાંથી પસાર થવું પડશે

Updated: Jun 15th, 2020


Google NewsGoogle News
અમદાવાદ જગન્નાથ મંદિર દર્શન માટે ખુલ્લું મુકાયું 1 - image


અમદાવાદ, તા. 15 જૂન 2020 સોમવાર 

જગન્નાથ મંદિરમાં આજે ખોલવામાં આવતાં સોશ્યલ ડિસ્ટસિંગ માટે મંદિરની બહાર ભક્તો માટે સર્કલ કરવામાં આવ્યા છે. દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ માટેની ગાઇડલાઇન્સના બેનર પણ લગાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત મંદિર પ્રવેશ માટે સેનિટાઇઝ ટનલ લગાડવામાં આવી છે. અમદાવાદ કોરોના વાયરસના લીધે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં છેલ્લા અઢી મહિનાથી મંદિરો અને ધાર્મિક સ્થળો પણ બંધ હતા. ત્યારે હવે અનલોક બાદ મંદિરો એક બાદ એક ખુલી રહ્યા છે.

મંદિર દર્શન કરવા માટે આવનાર ભક્તોએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. મંદિર પ્રવેશ આપતાં પહેલાં ફરજિયાત ટેમ્પેરેચર ચેકિંગ કરવામાં આવશે. મંદિરમાં હાથ પગ ધોવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

ભક્તોએ પોતાના પગરખા ગાડીમાં જ મુકવાના રહેશે. મહત્વનું એ છે કે મંદિરમાં પ્રસાદ પ્રથા બંધ કરવામાં આવી છે. છીંક અથવા ઉધરસ ખાતી વેળાએ દુપટ્ટા કે રૂમાલ વડેમાં ઢોકવાનુ રહેશે.


Google NewsGoogle News