Get The App

અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર

Updated: Apr 13th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર 1 - image


Ahmedabad Accident: અમદાવાદમાં મોડી રાત્રે દાણીલીમડા વિસ્તારમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં તેમજ રોડ પરના મંદિર સાથે અથડાતા મંદિર પણ ખંડિત કરી દીધુ હતું. ઘટનાની જાણ થતાં તુરંત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલકની અટકાયત કરી હતી. 

આ પણ વાંચોઃ વાઘ આવ્યો રે...! પાટીલે સાંસદ-ધારાસભ્યોને દોડાવતાં કંઇક નવું થશે તે વાત માત્ર અફવા ઠરી

શું હતી ઘટના? 

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં નશામાં ધૂત પૂરપાટ ઝડપે આવતા કારચાલકે મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો. કારચાલક ધવલરાજ ભુવનેતરે દાણીલીમડા સર્કલ પાસે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં. કાર એટલી સ્પીડમાં હતી કે, ડ્રાઇવર તેના પર કાબૂ ન મેળવી શક્યો અને ગાડી ફૂટપાથ પર ચઢી ગઈ. આ સિવાય રોડ પરના મંદિરે ગાડીની ટક્કર થતાં મંદિર પણ તૂટી ગયું હતું. બાદમાં સ્થાનિકો દ્વારા તુરંત જ નબીરાને ઝડપી લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. 

આ પણ વાંચોઃ 30 લાખની લાંચ કેસમાં પકડાયેલા આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારને છૂટા કરાયા

નોંધનીય છે કે, સદ્નસીબે અકસ્માતમાં કોઈનું મોત નથી નિપજ્યું. તમામ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હાલ અકસ્માત સર્જનાર આરોપી સામે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે. 


Tags :