સાપુતારા નજીક 65 મુસાફરો ભરેલી લકઝરી બસ ખીણમાં ખાબકી, બે લોકોના મોત

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
saputara


Saputara Bus Accident: હાલ રાજ્યમાં પૂરજોશમાં ચોમાસું શરૂ થઇ જતા પ્રવાસીઓ લીલોતરી અને કુદરતી સૌદર્યની મજા માણવા માટે સાપુતારા સહિત દક્ષિણ ગુજરાત વિવિધ સ્થળોએ ઉપડી પડે છે. ત્યારે તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર સાપુતારા નજીક અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સાપુતારાને શામગહાન સાથે જોડતા નેશનલ હાઈવે પર એક સાંકડા માર્ગ પર લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, આ બસમાં લગભગ 65 જેટલા મુસાફરો હતા. આ બસ ખીણમાં ખાબકતાં બે લોકોના મોત થયા હોવાની આશંકા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, અકસ્માત વખતે કેટલાક લોકો લક્ઝરી નીચે ફસાઈ ગયા હતા. 

આ ઘટના પછી તાત્કાલિક બચાવ કાર્ય પણ શરૂ કરાયું હતું. અનેક ઈજાગ્રસ્તોને આસપાસની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, લક્ઝરી બસને પણ ક્રેનની મદદથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે. 


Google NewsGoogle News