Get The App

અમદાવાદમાં ટ્રેન નીચે પડતું મૂકી રેલવેના જુનિયર એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
railway engineer committed suicide In Ahmedabad

Suicide In Ahmedabad: અમદાવાદમાં રેલવેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં કર્મચારીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી છે. 54 વર્ષના આધેડે શુક્રવારે (ચોથી ઑક્ટોબર) સવારના 7 વાગે મણિનગર રેલવે ક્રોસિંગ નજીક જામનગર હમસફર ટ્રેન નીચે સૂઈને મોતને વહાલું કર્યુ હતું. આ મામલે મણિનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં ટ્રેન નીચે પડતું મૂકી રેલવેના જુનિયર એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ 2 - image

મળતી માહિતી અનુસાર, મણિનગરમાં સીએનઆઇ ચર્ચની સામે આવેલા રાજશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિન રાઠોડ (ઉ.54) રેલવેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે શુક્રવારે (ચોથી ઑક્ટોબર) રજા હોવાથી ઘરે જ હતા. શુક્રવારે સવારના 7 વાગ્યે મણિનગર રેલવે ક્રોસિંગ પાસે જામનગર હમસફર ટ્રેન આવવાની હોવાથી તંત્ર દ્વારા બન્ને તરફના ક્રોસિંગ બંધ કરી દેવાયા હતા. આ દરમિયાન અશ્વિન રાઠોડે પણ ક્રોસિંગમાંથી બહાર આવીને ટ્રેક તરફ સૂઈ ગયા અને ટ્રેન તેમના પર ફરી વળતાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: ગાંધીનગરમાં બજરંગદળ-વિહિપ કાર્યકરોએ ખેલૈયાઓની મજા બગાડી, બળજબરીથી તિલકનો પ્રયાસ કરાતા પોલીસનો લાઠીચાર્જ

આપઘાતનું કારણ અકબંધ

આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ થઈ હતી. અશ્વિનભાઈએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યુ તેની હાલમાં કોઈ માહિતી મળી નથી. આ મામલે મણિનગર પોલીસે ગુનો નોંધી આપઘાત પાછળના કારણની તપાસ શરુ કરી છે.

અમદાવાદમાં ટ્રેન નીચે પડતું મૂકી રેલવેના જુનિયર એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ 3 - image


Google NewsGoogle News