હારીજ-ચાણસ્મા હાઈવે પર માતાના દર્શને પગપાળા જતાં ભક્તોને નડ્યો અકસ્માત, 3નાં મોત, 5 ઘાયલ

ગંભીર રીતે ઘાયલોને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
હારીજ-ચાણસ્મા હાઈવે પર માતાના દર્શને પગપાળા જતાં ભક્તોને નડ્યો અકસ્માત, 3નાં મોત, 5 ઘાયલ 1 - image


Hit and Run on Harij-Chaansma highway : ગુજરાતમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હારીજ-ચાણસ્મા હાઈવે પર બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડીયાર માતાજીના મંદિરે એક સંઘ પગપાળા જતો હતો તે દરમિયાન અજાણ્યા વાહને સંઘને અડફેટે લીધો હતો.   

મોડી રાત્રે દુર્ધટના બની

આ ઘટનાની વધુ માહિતી મુજબ બહુચારાજીના અંબાલા ગામમાંથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખાતે ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો ત્યારે મોડી રાત્રે હારીજ-ચાણસ્મા હાઈવે પર દાંતરવાડે ગામ નજીક અજાણ્યા વાહને સંધને અડફેટેલેતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં ચાર લોકોની હાલત ખુબ જ ગંભીર છે. હાલ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હારીજ-ચાણસ્મા હાઈવે પર માતાના દર્શને પગપાળા જતાં ભક્તોને નડ્યો અકસ્માત, 3નાં મોત, 5 ઘાયલ 2 - image


Google NewsGoogle News