દસાડા તાલુકાના વડગામ ત્રણ રસ્તા નજીક અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યાં

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
દસાડા તાલુકાના વડગામ ત્રણ રસ્તા નજીક અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યાં 1 - image


- પિતા વગરના પુત્રો ગુમાવતા બે પરિવારોમાં શોકનો માહોલ

- વિઠલાપુર નોકરીએથી પરત ફરતી વખતે ગાય આડી ઉતરતા અકસ્માત સર્જાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. જેમાં તાજેતરમાં જ લખતર તાલુકામાં અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત નીપજ્યા હતાં. આ બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં દસાડા તાલુકાના વડગામ ત્રણ રસ્તા પાસે ગાયની અડફેટે બાઈક પર સવાર બે  યુવાનોના મોત નીપજતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. 

આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દસાડા તાલુકાના વડગામ ખાતે પરિવારજનો સાથે રહેતા યુવકો પ્રકાશભાઈ કાળુભાઈ પરમાર, ઉ.વ.૨૬ અને ત્રીભોવનભાઈ દલાભાઈ પરમાર, ઉ.વ.૩૨વિઠલાપુર ગામે આવેલી ખાનગી કંપનીમાં  એક જ બાઈક પર નોકોરીએ જતા હતા. ત્યારે યુવાનો વિઠલાપુર નોકરીએથી છૂટી બાઈક પર પરત આવી રહ્યા હતા.ં જે દરમિયાન વડગામ ત્રણ રસ્તા પાસે અચાનક ગાય આડી ઉતરતા બાઈક સાથે અથડાઈ હતી. જેમાં બાઈક ચાલક યુવકે કાબૂ ગુમાવતા  બન્ને  યુવકો બાઈક પરથી પટકાઈ ફંગોળાયા હતા. જેથી તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ થતાં આસપાસના લોકો સહિત વાહનચાલકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે પાટડી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં ડોક્ટરે એક યુવકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત અન્ય યુવકને વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો  હતા.ે તે દરમિયાન સારવાર મળે તે પહેલા જ બીજા યુવકનું પણ મોત નીપજ્યું હતું.


Google NewsGoogle News