નાવાગામમાં બે ભાઈઓને પાંચ શખ્સોએ માર માર્યો

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
નાવાગામમાં બે ભાઈઓને પાંચ શખ્સોએ માર માર્યો 1 - image


- તળાવમાં નહાવા ન આવવું કહી 

- સરપંચ સહિત પાંચ સામે શખ્સો ગુનો નોંધાયો 

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના નાવા ગામમાં આવેલા તળાવમાં નહાવા આવેલા નવાગામના બે વ્યક્તિઓને નાવાગામના સરપંચ સહિત પાંચ શખ્સોએ માર માર્યો હતો. આ અંગે ચોટીલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

નવાગામમાં રહેતા વિજયભાઇ રૂપાભાઇ કુનતીયા અને તેમના કૌટુંબિક ભાઇ નાવા ગામમાં આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા. દરમિયાન નાવા ગામના સરપંચ લાભુભાઇ દેવાભાઇ અઘારા ત્યાં આવ્યા હતા અને બહારગામના માણસોએ અહીં નહાવા આવવું નહી તેમ કહી અપશબ્દો બોલ્યા હતા. 

 બાદમાં સરપંચ લાભુભાઇ, કાનજીભાઇ દેવાભાઇ અઘારા, મનજીભાઇ દેવાભાઇ અઘારા, ડાયાભાઇ દેવાભાઇ અઘારા અને દિપકભાઇ ડાયાભાઇ અઘારાએ અપશબ્દો બોલી ઢીકાપાટુનો તથા પથ્થરો વડે માર માર્યો હતો. 

વિજયભાઈને ઈજાઓ પહોંચતા સારવાર માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ચોટીલા પોલીસે પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  



Google NewsGoogle News