Get The App

વિરમગામ શહેરની શાન ગણાતું ઐતિહાસિક મુનસર તળાવ ઓવરફ્લો

- તળાવના કેચમેન્ટ એરિયામાં વ્યાપક વરસાદથી

- તળાવના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ પણ કાચબાગતિએ કામથી રહીશોમાં રોષ

Updated: Aug 29th, 2020


Google NewsGoogle News


વિરમગામ શહેરની શાન ગણાતું ઐતિહાસિક મુનસર તળાવ ઓવરફ્લો 1 - image

વિરમગામ, તા. 29 ઓગસ્ટ, 2020, શનિવાર

વિરમગામ શહેરની પશ્ચિમે આવેલ સોલંકીયુગનું સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ બંધાવેલા ઐતિહાસિક આન બાન શાન.. સમું મુનસર તળાવ આવેલ છે.

આ તલાવને જોવાલાયક સ્થળ તરીકેનું સ્થાન પામલ છે. પર્યટન સ્થળ તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. મુનસર તળાવને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ તળાવ ચાલુ વર્ષે સુકાઈ ગયેલ હતું ત્યારે આ વર્ષે  વિરમગામ શહેરમાં પડેલા અંદાજે ૨૦ ઈંચ વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે આ મુનસર તળાવ ભરાઈ ગયું હતું અને ઓવરફ્લો થયું હતું. આ તળાવ ભરાઈ જતા નગરજનો નયરમ્ય દ્રશ્ય જોવા ઉમટી પડયા હતા. આ તળાવ વિકાસવવા માટે પુરાતત્વખાતું એ જવાબદાર સરકારી તંત્ર દ્વારા આની ઉપેક્ષા કરવામા ંવી રહ્યું છે.  

આ તલાવને વિકાસવવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કામ કાચબા ગતિએ ચાલી રહ્યું છે. પુરાતત્ત્વ વિભાગની બેદરકારીના કારણે દિવસે દિવસે બિસ્માર બનતું જાય છે.


Google NewsGoogle News