ઢાંકી પાસે નર્મદા કેનાલમાંથી વિરમગામના વેપારીની લાશ મળી

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
ઢાંકી પાસે નર્મદા કેનાલમાંથી વિરમગામના વેપારીની લાશ મળી 1 - image


- મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર : લખતર તાલુકાના ઢાંકી પાસે આવેલી નર્મદા કેનાલમાંથી વિરમગામના વેપારીની લાશ મળી આવી હતી. પોલીસે લાશનો કબજો લઈને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. 

ઢાંકી પાસે આવેલી નર્મદા કેનાલમાંથી વિરમગામના મનોજભાઈ ચંદુભાઈ ગુજજર (ઉં.વ.૪૬)ની તરતી હાલતમાં લાશ મળી આવી હતી. લાશને જોતા રાહદારીઓ દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. 

જ્યારે યુવકની લાશને બહાર કાઢવા માટે વઢવાણ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરની મદદથી આધેડની લાશને બહાર કાઢવામાં આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવીને પીએમ માટે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. 

આધેડ વિરમગામમાં ટ્રેડર્સનું કામની સાથો સાથ કન્ટ્રક્શનનું પણ કામ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આધેડના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો પણ લખતર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ અંગે લખતર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News