આરોપી જોરાવરનગરથી ઝડપાયો
- નાણાં ધીરધારના ગુન્હામાં 8 માસથી ફરાર
- ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના ગુન્હામાં નાસતો ફરતો હતો
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે નોંધાયેલ નાણાં ધીરધારના ગુનામાં છેલ્લા ૮ માસથી ફરાર આરોપી જોરાવરનગર ખારાકુવા વિસ્તારમાં હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો ટીમે દરોડો કરી આરોપીને ઝડપી લીધો હતો.
ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે વર્ષ ૨૦૨૩ માં નોંધાયેલ નાણાં ધીરધારના ગુનામાં વઢવાણ સુડવેલ પાસે રહેતા વિશાલ બળવંતભાઇ ઉમરાણીયાનું નામ ખુલ્યું હતુ. પરંતુ આરોપી વિશાલ ઉમરાણીયા પોલીસથી બચવા છેલ્લા ૮ માસથી અલગ અલગ જગ્યાએ નાસતો ફરતો હતો. ત્યારે ફરાર આરોપી વિશાલ ઉમરાણીયા જોરાવરનગરમાં આવેલા લાતીપ્લોટ વિસ્તારમાં ખારાકુવા નજીક આવ્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર પેરોલ ફર્લોના પીએસઆઇ સી.એ.એરવાડીયા સહીતની પોલીસ ટીમે દરોડો કર્યો હતો અને ખારાકુવા નજીકથી આરોપી વિશાલ ઉમરાણીયાને ઝડપી લઇ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી હાથધરી છે.