સુરેન્દ્રનગર શહેરમાં સાત શખ્સોએ એક વ્યક્તિને માર માર્યો

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર શહેરમાં સાત શખ્સોએ એક વ્યક્તિને માર માર્યો 1 - image


- માતાજીના કામ માટે ભેગા થયેલા કુટુંબીજનો વચ્ચે બોલાચાલી થતાં ફરિયાદ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં માતાજીના કામ માટે ભેગા થયેલા કૌટુંબિક ભાઇઓ વચ્ચે બોલાચાલી થતાં યુવકને માર માર્યો હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી.

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ સિધ્ધનાથનગરમાં રહેતા ખોડીદાસભાઇ પ્રભુભાઇ વાઘેલાના ઘરે માતાજીના કામ માટે સમગ્ર કુટુંબીજનો ભેગા થયા હતા. દરમિયાન ચર્ચાઓ કરતા સમયે ખોડીદાસભાઇ વચ્ચે બોલવા જતાં જયેશ જેન્તિભાઇ વાઘેલા, અશ્વિનભાઇ પેમાભાઇ વાઘેલા, પ્રવિણભાઇ અમરશી વાઘેલા, માનવ ઉર્ફે મોનુ પ્રવિણભાઇ વાઘેલા, હિરલબેન જયેશભાઇ વાઘેલા, ઇન્દુબેન પ્રવિણભાઇ વાઘેલા અને કોકિલાબેન રમણભાઇ વાઘેલા દ્વારા તું વચ્ચે કેમ બોલે છે તેમ કહી ઢીકાપાટુ અને લાકડી વડે માર માર્યો હતો. 

જેથી ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.



Google NewsGoogle News