Get The App

સુરેન્દ્રનગર મલ્હારચોક પાસે ખંડેર મકાનમાં વિદેશી દારૃ અને બીયરનો જથ્થો છુપાવી વેચાણ કરતો શખ્સ ઝડપાયો

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર મલ્હારચોક પાસે ખંડેર મકાનમાં વિદેશી દારૃ અને બીયરનો જથ્થો છુપાવી વેચાણ કરતો શખ્સ ઝડપાયો 1 - image


- વિદેશી દારૃ અને બીયર સહીત કુલ રૃા. 51,065 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના મલ્હાર ચોક પાસે આવેલ ખંડેર જેવા મકાનમાં વિદેશી દારૃ અને બીયરનો જથ્થો છુપાવી વેચાણ કરતા શખ્સને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ ટીમે ઝડપી લીધો હતો પોલીસે સ્થળ પરથી વિદેશી દારૃની અલગ અલગ બ્રાન્ડની બોટલો તેમજ બીયર સહીત કુલ રૃપિયા ૫૧૦૬૫ ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે શહેરના મલ્હાર ચોક વિસ્તારમાં આવેલ દેવદીપ ફ્લેટ પાછળ આવેલ ખંડેર મકાનમાં એક શખ્સ વિદેશી દારૃ અને બીયરનો જથ્થો છુપાવી વેચાણ કરે છે આ બાતમીના આધારે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ ટીમે દરોડો કરી હસમુખ ભીખાભાઇ ચીહલાને વિદેશી દારૃની અલગ અલગ બ્રાન્ડની ૨૭ બોટલો તેમજ બીયરના ૨૪૮ ટીન સહીત કુલ રૃપિયા ૫૧૦૬૫ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પુછપરછ કરતા આ વિદેશી દારૃ અને બીયરનો જથ્થો જયરાજસિંહ રણજીતસિંહ દરબારનો હોવાની કબુલાત કરતા સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



Google NewsGoogle News