સુરેન્દ્રનગરમાં બંધ મકાનમાંથી 18 હજારના દાગીનાની ચોરી

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં બંધ મકાનમાંથી 18 હજારના દાગીનાની ચોરી 1 - image


- પરિવાર ધાર્મિક પ્રસંગે વતન ગયો ત્યારે તસ્કરો ત્રાટક્યા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર દાળમિલ રોડ પર આવેલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂા.૧૮,૦૫૦ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ ટીમે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. 

તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News