સદાદ સીમમાં ચાર શખ્સોએ પાંચ વ્યક્તિને માર માર્યો

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
સદાદ સીમમાં ચાર શખ્સોએ પાંચ વ્યક્તિને માર માર્યો 1 - image


- ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

- ફોન કરી અપશબ્દો બોલવા બાબતે મનદુઃખ રાખી હુમલો કર્યાની ફરિયાદ

સુરેન્દ્રનગર : લખતર તાલુકાના સદાદ ગામની સીમમાં ૪ શખ્સોએ લાકડાના ધોકા વડે પાંચ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. અગાઉ ફોન કરી અપશબ્દો બોલવા મામલે થયેલી માથાકુટમાં ૪ શખ્સોએ હુમલો કર્યા અંગેની ફરીયાદ લખતર પોલીસ મથકે નોંધાઈ હતી.

સદાદ ગામની સીમમાં અમુક શખ્સો જોરજોરથી અપશબ્દો બોલતા હોય લાભુભાઇ ઝવેરભાઇ માથાસુરીયા ત્યાં ગયા હતા અને કેમ અપશબ્દો બોલો છો તેમ કહેતા ઉશ્કેરાયેલા વિષ્ણુભાઇ ઠાકોર અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા લાકડના ધોકા વડે હુમલો કરતા લાભુભાઇ માથાસુરીયા, સુરાભાઇ હીરાભાઇ, બાધુબેન, ભુપતભાઇ તેમજ શાન્તુબેન પર હુમલો કર્યો હતો.

 તેમજ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયાં હતાં.જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત લાભુભાઇ એ લખતર પોલીસ મથક વિષ્ણુભાઈ ઠાકોર અને અન્ય ૩ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, અગાઉ લાભુભાઇના સંબંધી દીલાભાઇ દ્વારા અગાઉ ફોનમાં વિષ્ણુને અપશબ્દો કહ્યા હતા. જે બાબતનું મનદુખ રાખી ૪ શખ્સોએ હુમલો  કર્યો હતો.



Google NewsGoogle News