મઘરીખડામાં ચાર શખ્સોએ ત્રણ યુવકોને માર માર્યો

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
મઘરીખડામાં ચાર શખ્સોએ ત્રણ યુવકોને માર માર્યો 1 - image


- હુમલો કરી શખ્સો ફરાર

- લોખંડના પાઈપ, ધારીયું, લાકડી સહિતના હથિયારો વડે હુમલો કર્યો  

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના મઘરીખડા ગામે યુવાન બાઇક લઇ જઇ રહ્યો હતો.  તે દરમિયાન જમીનના રસ્તા બાબતે ૪ શખ્સોએ યુવાન તેમજ તેના બે ભાઇઓ પર લોખંડના પાઇપ, ધારીયું તેમજ લાકડી વડે હુમલો કરતો યુવાન તેમજ તેના બે ભાઇઓ સહીત કુલ ૩ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. આ મામલે ઇજાગ્રસ્ત યુવાને ૪ શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મઘરીખડા ગામે રહેતા વિપુલભાઇ હિરાભાઇ જાંબુકીયા બાઇક લઇ જઇ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં તેમના દાદાના દિકરા ભરતભાઇ સવજીભાઇ જાંબુકીયા રસ્તામાં ટ્રેક્ટર લઇ મળતા તેણે બોલાચાલી ઝઘડો કર્યો હતો.

 તેમજ ફોન કરીને કોઇને બોલાવતા હરજીભાઇ બીજલભાઇ જાંબુકીયા, રસીકભાઇ બીજલભાઇ જાંબુકીયા અને અજયભાઇ હેમુભાઇ જાંબુકીયા લોખંડના પાઇપ, ધારીયું અને લાકડી સહીતના હથિયારો સાથે ધસી આવ્યા હતાં અને હુમલો કર્યો હતો. તે દરમિયાન વિપુલભાઇના ભાઇ અભાભાઇ તેમજ જોરાભાઇ પણ ત્યાં આવતા ચારેય શખ્સોએ તેમને પણ માર માર્યો હતો.

પરંતુ વધુ માણસો ભેગા થઇ જતાં હુમલો કરનાર ચારેય શખ્સો નાસી છુટયા હતા. જ્યારે ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ મામલે વિપુલભાઈએ ભરતભાઇ સવજીભાઇ જાંબુકીયા, હરજીભાઇ બીજલભાઇ જાંબુકીયા, રસીકભાઇ બીજલભાઇ જાંબુકીયા અને અજયભાઇ હેમુભાઇ જાંબુકીયા વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News