કાર-ટ્રક અથડાતા મોરબી જિલ્લાના ચારનાં મોત

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
કાર-ટ્રક અથડાતા મોરબી જિલ્લાના ચારનાં મોત 1 - image


- પાટડીના દસાડા-જૈનાબાદ રોડ પર રૂસ્તમગઢ ગામના પાટિયા પાસે ગોઝારો અકસ્માત 

- દેત્રોજના કુકવાવ ગામે લૌકિકે જઇ રહેલા મોરબી જિલ્લાના લોકોને અકસ્માત નડયો ઃ કાર નજીકના ખેતરમાં ખાબકી: પોલીસે તપાસ આદરી

સુરેન્દ્રનગર : પાટડી તાલુકામાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે મોરબી જિલ્લાના ચાર વ્યકિતના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવીને વધુ તપાસ હાથ ધરી ચે. 

 દસાડા-જૈનાબાદ રોડ પર રૂસ્તમગઢ ગામના પાટિયા પાસે જઈ રહેલી કારને પુરપાટ ઝડપે આવતા ટ્રકના ચાલકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ૦૪ વ્યકિતના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે ટ્રકે કારને ધડાકાભેર અડફેટે લેતા કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને અકસ્માત બાદ કાર નજીકના ખેતરમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના વાહનચાલકો સહિત સ્થાનિકો મોટીસંખ્યામાં બનાવ સ્થળે ઉમટી પડયા હતા અને પોલીસ તેમજ ૧૦૮ એમબ્યુલન્સને જાણ કરતા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તમામ મૃતકોની લાશનો કબજો લઈ પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 

તેમજ દસાડા પીએસઆઈ વી.આઇ.ખડીયા સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથધરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો મોરબી જીલ્લાના હોવાનું બહાર આવ્યું હતુ. 

મોરબી જિલ્લાના અલગ અલગ પરિવારના ૦૪ વ્યક્તિ કુકવાવ ગામે કારમાં  લૌકિકે જઈ રહ્યા હતા તે પાટડી તાલુકામાં અકસ્માત સર્જાયો હતો. જયારે અકસ્માતના આ બનાવથી મૃતકોના પરિવારજનો સહિત સમાજના આગેવાનો અને ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.


Google NewsGoogle News