જોરાવરનગરમાં પિતા અને પુત્ર પર છરી અને પથ્થરથી હુમલો

Updated: May 29th, 2024


Google NewsGoogle News
જોરાવરનગરમાં પિતા અને પુત્ર પર છરી અને પથ્થરથી હુમલો 1 - image


- અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી

- જાનથી મારી નાખવાની ધમકી આપી : હુમલો કરનાર દૂધરેજના ચાર શખ્સો સામે ફરિયાદ

સુરેન્દ્રનગર : જોરાવરનગરની વિશ્વકર્મા સોસાયટીમાં જાહેર રસ્તા પર અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ચાર શખ્સોએ છરી તેમજ પથ્થરના છુટા ઘા ઝીંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 

રતનપર દેવનંદન ટાઉનશીપ સામે રહેતા ફરિયાદી અવતારસીંગ હિરાસીંગ ટાંક, તેમના  પિતા હિરાસીંગ ઈશ્વરસીંગ ટાંક, કાકા, બાપુ સહિતનાઓ જોરવરનગર ખાતે કાર લઈને ગયા હતા. ત્યારે બે બાઈક પર આવેલા ચાર શખ્સોએ અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી અપશબ્દો બોલી છરી વડે ફરિયાદીના ડાબા હાથપર ઘા ઝીંક્યો હતો.

 તેમજ તેમના પિતાને પથ્થરનો છુટ્ટો ઘા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે જોરાવરનગર પોલીસે રવિન્દ્રસીંગ શેટીસીંગ ભાટીયા, સુરેન્દ્રસીંગ સેવાસીંગ ભાટીયા, કાલીસીંગ શેરસીંગ ભાટીયા અને શેટીસીંગ શેરસીંગ ભાટીયા (તમામ રહે. દૂધરેજ) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News