દેવળિયા નજીક રિક્ષા પલટી જતાં ચાલકનું મોત, એકને ઈજા

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
દેવળિયા નજીક રિક્ષા પલટી જતાં ચાલકનું મોત, એકને ઈજા 1 - image


- ભાથરિયાના રિક્ષા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો 

સુરેન્દ્રનગર : દેવળિયા-તલવણી વચ્ચે રિક્ષા પલટી ખાઈ જતાં અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર મુસાફરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. 

લખતર તાલુકાના ભાથરીયા ગામના રિક્ષા ચાલક કરસનભાઈ રામજીભાઈ જાદવ (ઉં.વ.૫૦) દેવળીયા ગામના પાટીયા પાસેથી ભુપતભાઈ કાળુભાઇ જાદવને રિક્ષામાં બેસાડીને લખતર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન દેવળીયા અને તલવણી વચ્ચે રિક્ષાચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા રોડ સાઈડની ખાઈમાં ખાબકી હતી.

 જેમાં દેવળીયા ગામના ભુપતભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે કરસનભાઈને માથાના તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ની મદદથી સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત કરસનભાઈનું મોત નીપજ્યું હતું. 


Google NewsGoogle News