સુરેન્દ્રનગરમાં પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો હોવાની ફરિયાદ

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો હોવાની ફરિયાદ 1 - image


- પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

- ઓગસ્ટ 2023 માં પરિણીતાએ ફાંસો ખાઈને જીવ ટુંકાવ્યો હતો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં ઓગષ્ટ ૨૦૨૩માં પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે પરિણીતાના પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો હોવાની મૃતકના પિતાએ શનિવારે સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.  

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સાસરીયાપક્ષમાં મોત નીપજ્યું હતું. જે મામલે પરિણીતાના પિતાએ સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસ મથકે પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ફરિયાદી વિજયસિંહ ભાવસિંહ જાડેજાની દીકરી નમ્રતાબાના લગ્ન વર્ષ ૨૦૧૯માં મુળ લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામના બહાદુરસિંહ ઝાલાના પુત્ર શક્તિરાજસિંહ ઝાલા સાથે થયાં હતાં અને છેલ્લા ત્રણ વર્ષથી દીકરી સુરેન્દ્રનગર હરિપ્રકાશનગરમાં ભાડાના મકાનમાં રહેતી હતી. 

તા.૭ ઓગષ્ટ ૨૦૨૩ના રોજ નમ્રતાબાએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે આ બનાવમાં હાલ તા.૯ ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ મૃતકના પિતાએ એ-ડિવીઝન પોલીસ મથકે પોતાની પુત્રી નમ્રતાબાએ સાસુ પ્રભાતબા ઝાલા અને જમાઈ શક્તિરાજસિંહ ઝાલાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News