પાંજવાળીમાં યુવકના મોત મામલે બે શખ્સો સામે ફરિયાદ

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
પાંજવાળીમાં યુવકના મોત મામલે બે શખ્સો સામે ફરિયાદ 1 - image


- માતાજીના મઢમાં ફાંસો ખાઈ લીધો હતો

- ગામના બે શખ્સોએ લાકડીથી મારી જમીન પર ઢસડયા હોવાથી લાગી આવતા પગલું ભર્યું 

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના પાંજવાળી ગામે માતાજીના મઢમાંથી યુવાનની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઇએ ચોટીલા પોલીસ મથકે બે શખ્સો સામે મૃતકને મરવા માટે મજબુર કરવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

પાંજવાળી ગામે આવેલા મેલડી માતાજીના મઢમાં ગામના જ હકુભાઇ નાજાભાઇ વાઘેલાની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે મૃતકના ભાઇ મનુભાઇ નાજાભાઇ વાઘેલાએ ચોટીલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ પાંજવાળી ગામના રામાભાઇ રમેશભાઈ સુરેલા અને મુનાભાઇ નાથાભાઇ સુરેલાને કોઇ કારણસર હકુભાઇ સાથે ઝઘડો થયો હતો અને બંને શખ્સો લાકડી વડે હકુભાઇને માર મારી જમીન પર ઢસડતા હતાં.

જે બાબતનું હકુભાઇને લાગી આવતા હકુભાઇએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી ચોટીલા પોલીસે બંને શખ્સો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News