લખતર નજીક રેલવે ટ્રેક પરથી અજાણ્યા પુરૂષની લાશ મળી

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
લખતર નજીક રેલવે ટ્રેક પરથી અજાણ્યા પુરૂષની લાશ મળી 1 - image


- અકસ્માત કે આત્મહત્યા અંગે ઘુંટાતુ રહસ્ય

- પીએમ કરાવી લાશને સુરેન્દ્રનગર કોલ્ડ સ્ટોરેજમાં ખસેડી તપાસ હાથ ધરાઈ

સુરેન્દ્રનગર : લખતર રેલવે સ્ટેશન નજીક વણા અને બજરંગપુરા ગામ વચ્ચે આવેલા રેલવે ટ્રેક પર રાત્રીના સમયે અજાણ્યા પુરુષની કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. 

રાત્રીના સમયે ભાવનગરથી બાંદ્રા જતી માલવાહક ટ્રેઈનમાં એક વ્યક્તિ કપાયો હોવાની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને યુવકની લાશને લખતર રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી.

 જે અંગેની જાણ લખતર પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો રેલવે ટ્રેક પર ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ લાશનો કબ્જો લઈ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. તેમજ ત્યાંથી સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મોકલી આપવામાં આવી હતી.

 યુવકે ચાલુ ટ્રેનમાંથી પટકાઈ આત્મહત્યા કરી હોય અથવા ટ્રેન કે માલગાડીની અડફેટે મોત નીપજ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. જો કે પોલીસે યુવકની તલાશી લેતા કોઈ ઓળખ કે આધાર પુરાવા મળી આવ્યા નહોતા. આથી મૃતકના વાલી વારસા અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.


Google NewsGoogle News