લખતર પોલીસલાઈન પાછળ કડબમાં આગ લાગતા દોડધામ મચી

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
લખતર પોલીસલાઈન પાછળ કડબમાં આગ લાગતા દોડધામ મચી 1 - image


- સ્થાનીકો તેમજ ફાયર ફાયટર ટીમ દ્વારા આગને બુઝાવવાની કામગીરી હાથધરાઈ

- જાનહાનીનો કોઈ બનાવ ન બનતા રાહત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં દિન-પ્રતિદિન આગના બનાવો વધી રહ્યાં છે ત્યારે લખતર શહેરની પોલીસલાઈન પાછળ કૃષ્ણનગર વિસ્તારમાં કડબમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી અને સ્થાનીક રહિશો તેમજ યુવાનો દ્વારા આગને બુઝાવવાના પ્રયાસો હાથધર્યા હતા તેમજ ફાયર ફાયટર ટીમને પણ જાણ કરવામાં આવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ લખતર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ પોલીસ લાઈનની પાછળ રહેણાંક મકાનની પાછળ માલધારી દ્વારા સંગ્રહ કરેલ કડબના જથ્થામાં સાંજના સમયે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જ્યારે આ અંગેની જાણ થતાં આસપાસના રહિશો તેમજ યુવાનો અને આગેવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને ડોલ તેમજ ટેન્કરની મદદથી પાણીનો મારો ચલાવી આગને બુજાવવાના પ્રયાસો હાથધર્યા હતાં. તેમજ સુરેન્દ્રનગરથી પાલિકાની ફાયર ફાયટર ટીમ ઘટના સ્થળે પહોંચી આગને બુજાવવાની કામગીરી હાથધરી હતી સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો પરંતુ મોટાપ્રમાણમાં કડબનો જથ્થો બળીને ખાખ થઈ જતા નુકશાન પહોંચ્યું હતું તેમજ પ્રાથમિક તપાસમાં ફટાકડાના તણખલા અથવા શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે લખતર પોલીસ કાફલો અને સરપંચ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને કામગીરીમાં મદદરૂપ થયા હતાં.


Google NewsGoogle News