ધ્રાંગધ્રા તાલુકાના ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતો આરોપી ઝડપાયો

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
ધ્રાંગધ્રા તાલુકાના ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતો આરોપી ઝડપાયો 1 - image


સુરેન્દ્રનગર : લખતર પોલીસને  ઇંગરોડી ગામના રહેવાસી હનીફખાન અનવરખાન લાખાજી મલેક પોતાના ઇંગરોળી ગામે રામજી મંદિર સામેની ગલીમાં દરબારગઢની બાજુમા આવેલા પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી ભેગા કરી ગંજીપાના વડે તીન પત્તીનો પૈસાનો હારજીતનો જુગાર રમાડી પોતાના અંગત ફાયદા સારુ નાળ ઉઘરાવતા હોવાની બાતમી મળી હતી.

જેના આધારે રેઈડ કરી હતી. જેમાં ગુજસીટોકના ગુનાનો અને પેરોલ જમ્પ આરોપી અમજીતખાન રસુલખાન જતમલેક (રહે.ઇંગરોડી) છેલ્લા તેર મહિનાથી અમદાવાદ જેલમાંથી પેરોલ જમ્પને પણ રહેણાંક મકાનમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 પ્રાથમિક તપાસમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના વર્ષ ૨૦૨૦માં ગેડીયા ગેંગનો સાગરીત હોય ગુજસિટોક હેઠળ ગુનો નોંધાયો હતો અને સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. 


Google NewsGoogle News