વણા રેલવે ફાટક પાસે માલગાડીની અડફેટે આધેડનું મોત

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
વણા રેલવે ફાટક પાસે માલગાડીની અડફેટે આધેડનું મોત 1 - image


સુરેન્દ્રનગર : લખતર-વણા રોડ ઉપર આવેલા રેલવેે ફાટકથી ૫૦ મીટર દૂર ટ્રેક પર અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ જતી માલગાડીની અડફેટે ડુમાણા ગામના ફુલુભા રઘુભા ઝાલા (ઉં.વ. ૬૨)નું મોત નિપજ્યું હતું. જ્યારે માલગાડીના ગાર્ડ દ્વારા મૃતદેહને બજરંગપુરા રેલવે ખાતે સોંપ્યો હતો. જેથી  બનાવની જાણ રેલવે ફાટક દ્વારા જાણ કરાતા લખતર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક નિવૃત એસઆરપી જમાદાર હોવાનું જાણવા મળ્યું છે. આધેડે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે કે અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News