દૂધરેજ નર્મદા કેનાલમાં પ્રેમી યુગલે ઝંપલાવ્યું, યુવતીનું મોત

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
દૂધરેજ નર્મદા કેનાલમાં પ્રેમી યુગલે ઝંપલાવ્યું, યુવતીનું મોત 1 - image


- યુવક કેનાલમાંથી બહાર નીકળી ગયો

- યુવક નહીં પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારનો ઈનકાર  

સુરેન્દ્રનગર : દૂધરેજ નર્મદા કેનાલમાં પ્રેમી યુગલે ઝંપલાવ્યું હતું. જેમાં યુવક કેનાલમાંથી બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે સ્થાનિક તરવૈયાઓએ યુવતીની લાશ બહાર કાઢી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

દૂધરેજ નર્મદા કેનાલમાં પ્રેમી પંખીડાઓ ડુબ્યા હતા. જેની જાણ સ્થાનિકોને થતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જ્યાં પ્રેમી યુવક કેનાલમાંથી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

 જ્યારે ડુબી ગયેલી યુવતિને સ્થળ પરના તરવૈયાએ કેનાલમાંથી બહાર કાઢી હતી પરંતુ યુવતીનું મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવની જાણ થતાં પાલિકાની ફાયર ફાયટર ટીમ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.

પોલીસે ડુબી ગયેલી યુવતી તેમજ બચી ગયેલો પ્રેમી કોણ અને ક્યાંના છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે મૃતક યુવતિના પરિવારજનો અને સગા-સબંધીઓ હોસ્પિટલ ખાતે ઉમટી પડયા હતા અને જ્યાં સુધી પ્રેમી યુવકને ઝડપી પાડવામાં નહીં આવે ત્યાં સુધી લાશને સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. 


Google NewsGoogle News